હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે, નીતિન પટેલનાં નિવેદનથી રાજકારણમાં ખળભળાટ

B INDIA મહેસાણા : મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું હતું કે,રાજકારણમાં હવે દલાલો વધી ગયા છે,દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખાણ રાખવાની થાય છે. ત્યારે તમે એવું કહો કે હું ભાજપમાં છું એટલે અધિકારીઓ તરત તમારૂ કામ કરી આપે છે. ભાજપ સરકારે આ બધાને સુખી કર્યા હોવાની વાત નીતિન પટેલે જાહેર મંચ પરથી કરી હતી.

-> ચૂંટણી પહેલા નીતિન પટેલનું મોટું નિવેદન :- સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલ કોઈ પણ સમયે મીડિયા સમક્ષ સાચું બોલી જતા હોય છે. ત્યારે આજે નીતિન પટેલે તેમના મનની વાત કહી હતી. અને હાલમાં નીતિન પટેલ ભાજપના અગ્રણી તેમજ મહેસાણાના અગ્રણી નેતા છે. નીતિન પટેલનો કહેવાનો મતલબ એમ હતો કે,ભાજપનું નામ દઈએ તો કયાંય પણ કામ પતી જાય છે.

-> રાજકારણમાં દલાલો વધી ગયા છે : નીતિન પટેલ :- પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા. દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે.

Related Posts

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી શરૂ, 4 એપ્રિલ સુધી થશે પૂર્ણ

અમદાવાદમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે વિવાદાસ્પદ બનેલો Hatkeshwar Bridge હવે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને 4 એપ્રિલ…

રાજુલા-પીપાવાવ હાઈવે પર કારમાં ભીષણ આગ, ડ્રાઈવરના સમયસર બચાવથી ટળી જાનહાનિ

રાજુલા નજીક આજે હાઈવે પર એક ફોર વ્હીલર કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે. ઘટના દરમિયાન, દર્શન હોટલ પાસે હાઈવે પરના વાહનચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *