સુરતમાં રમતા-રમતા બાળક ખુલ્લી ટાંકીમાં ખાબકતા મોત, પરિવારજનોએ ઉધના રેલવે તંત્ર પર લગાવ્યો આરોપ

B india સુરત : સુરતમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉધના રેલવે સ્ટેશનની બાંધકામ સાઈટ પર પાણીની ટાંકીમાં પડી જવાથી માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. બાળકને સારવાર મળે તે પહેલા તબીબે મૃતક જાહેર કર્યો છે. મળતી માહિતી અનુસાર, અંડરગ્રાઉન્ડ ટાંકી ખુલ્લી હોવાથી બાળકનું પડી જવાથી મોત નિપજ્યું. રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના સિક્યુરિટી ગાર્ડ કે સુરક્ષા દીવાલ નહિ હોવાથી બાળક ત્યાં પહોંચ્યો હતો. રેલવે તંત્રની બેદરકારીના કારણે બાળકનું મોત નિપજ્યું હોવાના પરિવારના આરોપ છે. ઉધના રેલવે પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.

-> પરિવારનો ઉધના રેલવે તંત્ર સામે આરોપ :- પરિવારનાં આક્ષેપ અનુસાર, ઉધના રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી પાસે બાળક રમી રહ્યું હતું. ત્યારે રમતા રમતા બાળક પાણીની ટાંકીમાં પડી જતાં આસપાસનાં લોકો દોડીને આવ્યા હતા અને બાળકને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *