સુરતનાં ઓલપાડમાં બુલડોઝર ફેરવી નાખ્યું, સરકારી જમીન પર ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરાયા

B INDIA સુરત : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સરકારી તંત્રએ મોટી કાર્યવાહી કરાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગેરકાયદેસર બનાવાયેલા ઝીંગા તળાવો પર બુલડોઝર ફેરવ્યું છે. તેના ખાડી નજીક બરબોધન ગામની સીમમાં આવેલા 19થી વધુ ગેરકાયદે ઝીંગા તળાવો દૂર કરવામાં આવ્યા છે. જેના કારણે લગભગ 2 લાખ ચોરસ મીટર સરકારી જમીન મુક્ત થઈ છે. જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરી હતી.

નાયબ મામલતદાર એચ.ડી.ચોપડાના જણાવ્યા મુજબ, આ તળાવોમાં ઝીંગાના બચ્ચા ન હોવાથી કોઈને આર્થિક નુકસાન થયું નથી. આ ગેરકાયદે તળાવોથી અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થતો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતી હતી.

આ તળાવોના સંચાલકો વીજચોરી પણ કરતા હોવાની ફરિયાદો ઊઠી હતી. તંત્રની આ કાર્યવાહી બાદ ઓલપાડ તાલુકાના અન્ય વિસ્તારો જેવા કે સરસ, લવાછા, કુદિયાણા, દાંડી, મંદરોઈ, સોંદલાખારા, કોબા અને દેલાસા સહિતના ગામોમાં પણ આવા ગેરકાયદે તળાવો દૂર કરવાની માંગ ઊઠી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Related Posts

ભાજપ 2026 Bihar Politics Big Shakeup : પ્રશાંત કિશોરની પ્રારંભિક લીડથી ભાજપ કેમ્પમાં ખળભળાટ, શું આ બિહારની નવી રાજનીતિનો સંકેત છે?

બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર ભાજપના ઉમેદવાર સામે લગભગ 5 હજાર મતોથી આગળ હોવાના અહેવાલો. જાણો ચૂંટણીનું રાજકીય મહત્વ, મતગણતરીના ટ્રેન્ડ અને તેની અસર. બાંકીપુર પેટાચૂંટણી પર સમગ્ર દેશની નજર બિહારની સૌથી ચર્ચાસ્પદ વિધાનસભા પેટાચૂંટણીઓમાંની એક ગણાતી બાંકીપુર બેઠકની મતગણતરી દરમિયાન મહત્વપૂર્ણ રાજકીય સંકેતો સામે આવી રહ્યા છે. શરૂઆતના રાઉન્ડથી જ જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર મજબૂત સ્થિતિમાં જોવા મળ્યા છે અને તાજા મતગણતરીના ટ્રેન્ડ મુજબ તેઓ ભાજપના ઉમેદવાર સામે લગભગ 5 હજાર મતોથી આગળ હોવાનું સામે આવ્યું છે. જોકે, અંતિમ પરિણામ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે. આ ચૂંટણી માત્ર એક બેઠકની જીત-હાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ બિહારની આગામી રાજકીય દિશા નક્કી કરી શકે તેવી મહત્વપૂર્ણ…

અમદાવાદમાં જામશે મહાકુંભ: CWG 2030નો સત્તાવાર હેન્ડઓવર મળતા અમદાવાદ બન્યું યજમાન Triumphant

કોમનવેલ્થ ગેમ્સ 2026નું શાનદાર સમાપન, અમદાવાદને મળ્યો 2030 ગેમ્સનો સત્તાવાર હેન્ડઓવર 2030 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન થયું. ભારતે 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ જીત્યા, જ્યારે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સત્તાવાર રીતે ફ્લેગ અને બેટન સોંપવામાં આવ્યા. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી **કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games 2026)**નું ભવ્ય સમાપન રંગારંગ સમારોહ સાથે થયું. સમાપન સમારોહ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ અને હજારો દર્શકોએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. ભારત માટે આ ગેમ્સ અનેક યાદગાર સિદ્ધિઓ લઈને આવી, જ્યારે ગુજરાતના અમદાવાદ શહેર માટે પણ આ દિવસ ઐતિહાસિક બની રહ્યો. સમાપન સમારોહમાં વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી એડિશન માટે અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન હેન્ડઓવર કરવામાં આવ્યા. આ સાથે અમદાવાદ હવે આગામી યજમાન શહેર તરીકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *