B INDIA વડોદરા : વડોદરાના હરણી બોટકાંડના મૃતકોને લઈ વળતર જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા સિટી નાયબ કલેક્ટર વી. કે. સાંભડ દ્વારા વળતરની જાહેરાત કરાઈ છે. 12 મૃતક બાળકના પરિવારને 31,75,700 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરાઈ છે. સાથે જ મૃતક શિક્ષિકાઓ માટે પણ વળતરની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટનામાં બે ઇજાગ્રસ્તોને 50-50 હજારનું વળતર જાહેર કરાયું છે.
વડોદરા સિટી નાયબ કલેક્ટરે તમામને અરજી દાખલ તારીખથી વસૂલ થતા સુધીના સમયગાળા માટે વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે વળતર આપવા આદેશ કર્યો છે. હરણી લેકઝોન કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
-> સમગ્ર ઘટના શું હતી? :- ગયા વર્ષે વડોદરા શહેરમાં 18 જાન્યુઆરીના રોજ વાઘોડિયા રોડ પર આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલનાં બાળકો તેમજ શિક્ષકો હરણી તળાવ ખાતે બોટમાં બેસી ફરી રહ્યા હતા. તે દરમ્યાન હોડી પલ્ટી મારી જતા 12 બાળકો તેમજ 2 શિક્ષકોનાં મોત નિપજ્યા હતા. જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.







