રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ, પવનોની દિશા બદલતા તાપમાનમાં થયો વધારો

-: રાજ્યમાં પવનોની દિશા બદલતા અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ :-

મોટાભાગના જિલ્લામાં તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાયું છે તો રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી નોંધાયું છે.

-: ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે :-

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની આગાહી મુજબ ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે. આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ દર્શાવી છે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. પરંતુ તે પછી 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે.

-: કયાં કેટલું તાપમાન નોંધાયું હવામાન વિભાગની આગાહી મુજબ :-

કયાં કેટલું તાપમાન નોંધાયું હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજકોટમાં 40.5 ડિગ્રી, કંડલામાં 40 ડિગ્રી,અમદાવાદમાં 39.5 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી,ડીસામાં 39.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.5 ડિગ્રી,વડોદરામાં 39.2, સુરતમાં 38.7 ડિગ્રી,ભુજ અને નલિયામાં તાપમાન 39.6 ડિગ્રી ,અમરેલીમાં 39.6 ડિગ્રી, ભાવનગરમાં 38.1 ડિગ્રી,મહુવા અને કેશોદમાં તાપમાન 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

  • Related Posts

    અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષવાસી દેડકાની પ્રજાતીનો શોધ, પર્યાવરણપ્રેમીઓમાં ઉત્સાહ અને ઉત્સુકતા

    અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિ ધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ-નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન…

    રાજ્ય સરકારનો માસ્ટર પ્લાન, આ યોજના થકી હવાની ગુણવત્તા સુધારશે અને હરિત આવરણને કરશે વિસ્તૃત

    ગાંધીનગર, 12 ફેબ્રુઆરી, 2026: ભારતના શહેરોને ‘વૉટર સિક્યોર’ (જળ સુરક્ષિત) અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 1 ઓક્ટોબર, 2021ના રોજ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *