રાજકોટમાં ખૂની ખેલ ખેલાયો, પ્રેમીએ પ્રેમિકાને માર્યા છરીના ઘા

રાજકોટ શહેરમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે. પ્રેમિકાની અન્ય યુવક સાથે સગાઈ નક્કી થઈ જતા પ્રેમી દ્વારા યુવતીને ચારથી વધુ છરીના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોતાની પ્રેમિકાને છરીના ઘા ઝીંક્યા બાદ પ્રેમી દ્વારા પોતાને પણ છરીના ઘા ઝીંકી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ત્યારે હાલ સારવાર અર્થે બંનેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સંજય મકવાણા નામના વ્યક્તિ દ્વારા પોતાની પ્રેમિકા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

છાતીના વચ્ચેના ભાગે બે ઘા, ડાબા પગના સાથળના ભાગે, પેટના ભાગે તેમજ જમણા હાથમાં કોણીથી નીચેના ભાગે આડેધડ છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવવાની કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ ત્યારબાદ સંજય મકવાણા દ્વારા પોતાને પણ છરીના ઘા ઝીંકી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવતીની મોટી બહેન દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે સંજય મકવાણા વિરુદ્ધ કલમ 109 (1), 118(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે.

પોલીસને આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે, “સંજય મકવાણા અને મારી નાની બહેન વચ્ચે છેલ્લા પાંચ-છ વર્ષથી પ્રેમ સંબંધ છે. મારી બહેન સંજય સાથે લગ્ન કરશે તેવું સંજયને કહ્યું હતું. પરંતુ તાજેતરમાં જ મારી બહેનની સગાઈ માંગરોળ ખાતે નક્કી થઈ હતી. જે બાબતની જાણ સંજયને થઈ જતા તે બાબતનો ખાર રાખીને સંજય દ્વારા મારી બહેનનું મોત નીપજાવવાની કોશિશ કરવામાં આવી છે.” પોલીસે હાલ તો પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts

Surat : સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

surat સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. શહેરના એક ફાર્મ હાઉસમાં કથિત રીતે ચાલી રહેલી દારૂની પાર્ટી પર પોલીસે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં 8 યુવતી અને 14 યુવકો સહિત કુલ 22 લોકોને ઝડપી લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહી બાદ ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું અને ત્યાં કઈ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી હતી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ફાર્મ હાઉસમાં પાર્ટીની બાતમી પ્રાથમિક માહિતી મુજબ, પોલીસને સુરતના એક ફાર્મ હાઉસમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોવાની માહિતી મળી હતી. આ સ્થળે કથિત રીતે દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. માહિતીની ખરાઈ કર્યા બાદ પોલીસ ટીમ ફાર્મ…

PM નરેન્દ્ર મોદીએ 1 કરોડ યુવાનો માટે મફત ઓનલાઈન કોચિંગ, AI તાલીમની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં 1 કરોડ યુવાનોને આગામી એક વર્ષમાં AI તાલીમ આપવાની અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઓનલાઈન કોચિંગની જાહેરાત કરી. ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રીએ આગામી એક વર્ષ દરમિયાન 1 કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIની તાલીમ આપવાની જાહેરાત કરી હતી. સાથે જ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે મફત ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા ઊભી કરવાની વાત પણ કરી હતી. આ જાહેરાતને ભારતના યુવાનોને ભવિષ્યની ટેક્નોલોજી અને રોજગારની બદલાતી જરૂરિયાતો માટે તૈયાર કરવાના મોટા પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. AIના વધતા ઉપયોગ વચ્ચે નવી ટેક્નિકલ કુશળતા ધરાવતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *