મહાકુંભમાં જતા ગુજરાતીઓને ચિત્રકૂટમાં નડ્યો અકસ્માત, 1નું મોત, 7 લોકોને ઈજા

મહાકુંભ મેળાને લઈને હાલ લોકો પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છે.ત્યારે નવસારીના વતની સ્વાતિ પટેલ તેમના સંબંધીઓ સાથે કુંભમેળામાં જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રવિવારે રાતે 11 વાગ્યાની આસપાસ ચિત્રકૂટ નજીક તેમની કારને અકસ્માત નડતાં સ્વાતિ પટેલની કરૂણ મોત નીપજ્યું, જ્યારે તેમની સાથે કારમાં સવાર અન્ય સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નવસારીના ધર્મિનગરના જલારામનગર સોસાયટીના રહેવાસી સ્વાતિ પટેલ સંબંધીઓ સાથે પ્રયાગરાજના કુંભમેળામાં જવા નીકળ્યા હતા.

ત્યારે ચિત્રકૂટ પાસે એક કાર સાથે તેમની કારને ઓવરટેક કરવા જતાં સાઇડમાંથી ટકરાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્વાતિ પટેલને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેમને સારવાર અર્થે તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે.

કારમાં સવાર અન્ય સાત લોકોમાંથી એક વ્યક્તિને ખભાના ભાગે ઇજા થઈ હતી, જ્યારે અન્ય લોકોને સામાન્ય ઇજા થઈ હતી.સ્વાતિ પટેલના મૃતદેહને તેમના વતન નવસારી લાવવામાં આવ્યો હતો અને અહીં તેમની અંતિમવિધિ કરવામાં આવી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો હાલ સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસ હાલ આ અકસ્માત અંગે તપાસ કરી રહી છે.

Related Posts

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના…

પીએમ મોદીબે દિવસના મલેશિયા દૌરાએ,દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મલેશિયા પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં ‘IMPACT’ વિઝન રજૂ કર્યું અને UPI લોન્ચ કરવાની જાહેરાત કરી. પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *