બોલિવૂડ સુંદરી ‘સાધ્વી’ બની: મમતા કુલકર્ણીએ મહાકુંભમાં ‘સન્યાસ’ લીધો; તે કિન્નર અખાડાના મહામંડલેશ્વર બન્યા.

‘કરણ અર્જુન’, ‘બાઝી’ અને ‘ચાઇના ગેટ’ જેવી ફિલ્મોમાં અભિનય કરનાર 90ના દાયકાની પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણી આધ્યાત્મિક યાત્રા પર નીકળી ગઈ છે. તેણે પોતાની ગ્લેમરસ દુનિયા છોડી દીધી છે અને ‘સન્યાસ’ લીધો છે. મહાકુંભમાં કિન્નર અખાડામાં આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પાસેથી આશીર્વાદ લઈને તે સાધ્વી બની છે. ૨૪ જાન્યુઆરીના રોજ મહાકુંભમાં મમતા કુલકર્ણીને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા છે. હવે તે ‘યમાઈ મમતા નંદ ગિરિ’ તરીકે ઓળખાશે.તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે સાધ્વીના રૂપમાં જોવા મળી રહી છે.

કિન્નર અખાડા પહોંચ્યા પછી, તે સાધ્વીના વેશમાં, ભગવા વસ્ત્રો અને રુદ્રાક્ષની માળા પહેરેલી જોવા મળી. તેમણે શુક્રવારે પ્રયાગરાજમાં સંગમ નદીમાં પિંડદાન પણ કર્યું હતું. મહામંડલેશ્વર બન્યા પછી, તેમનો અભિષેક કરવામાં આવશે.અગાઉ, અભિનેત્રીમાંથી સંન્યાસીનું જીવન અપનાવનાર મમતા કુલકર્ણીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તે પ્રયાગરાજ જશે અને મહાકુંભમાં તેના માતાપિતાના પિતૃ તર્પણ કરશે. તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ બાયોમાં પોતાનું નામ બદલીને ‘મહાત્યાગી સાધ્વી’ રાખ્યું છે.

Related Posts

અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષવાસી દેડકાની પ્રજાતીનો શોધ, પર્યાવરણપ્રેમીઓમાં ઉત્સાહ અને ઉત્સુકતા

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિ ધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ-નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન…

આવતીકાલે ‘વર્લ્ડ રેડિયો ડે’ , જાણો આ વર્ષે કઈ થીમ પર થશે ઉજવણી ?

વર્લ્ડ રેડિયો ડે’: સ્ક્રીન વિના સંવાદ એટલે ‘રેડિયો’ ચાલુ વર્ષે ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ સાથે ઉજવાશે ‘રેડિયો ડે’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કાર્યક્રમ થકી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *