પાકિસ્તાન શરમમાં મુકાયું,તેના 30 શહેરોના લોકો પર આ અખાતી દેશોએ વિઝા પ્રતિબંધ મુક્યો

ખાડીના અનેક દેશોમાં પાકિસ્તાન શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા અને અન્ય ઘણા ગલ્ફ દેશોએ પાકિસ્તાનના 30 શહેરોના લોકોને વિઝા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરીને તેમના પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લાદી દીધો છે. અખાતી દેશ અને તેના મુખ્ય શહેરો લાખો પાકિસ્તાની પ્રવાસીઓ અને નોકરી શોધનારાઓ માટે મનપસંદ સ્થળો છે.ટ્રાવેલ પ્રતિબંધ અને વિઝા અરજી અસ્વીકારની વધતી ઘટનાઓને પગલે પાકિસ્તાની પાસપોર્ટની પહેલાથી જ ખરાબ છબીને વધુ નુકસાન થયું છે. જેના કારણે પાકિસ્તાની પાસપોર્ટ સતત ત્રીજા વર્ષે વિશ્વમાં ચોથા ક્રમે સૌથી ખરાબ છે. આ સિવાય UAEએ પાકિસ્તાનના વિઝા અરજદારો માટે પોલીસ દ્વારા જારી કરાયેલ ચારિત્ર્ય પ્રમાણપત્ર સબમિટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

-> પાકિસ્તાની લોકો પર કયા કારણોસર પ્રતિબંધ મુકાયો હતો? :- પોડકાસ્ટર નાદિર અલીએ કરાચીમાં એક મોટી ટ્રાવેલ કંપનીના માલિક સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ‘સાઉદી અરેબિયા અને દુબઈ પાકિસ્તાનીઓ માટે લોકપ્રિય સ્થળ છે, પરંતુ હવે તેમણે વિઝા આપવાનું બંધ કરી દીધું છે.’ અખાતના દેશોની આ કાર્યવાહી પાછળ પાકિસ્તાનીઓની પોતાની જ કરતૂત જવાબદાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ પ્રવાસીઓ વિદેશ ગયા છે, જેઓ ડ્રગ સ્મગલિંગ અને માનવ તસ્કરી કરે છે અને ગેરકાયદેસર રીતે ત્યાં રહેવા લાગ્યા છે. સાઉદી અરેબિયાએ ભિખારીઓને પકડવાની વધી રહેલી ઘટનાઓને લઈને પાકિસ્તાનને ચેતવણી આપી છે.

-> ગલ્ફ કંપનીઓ પાકિસ્તાની રિક્રુટર્સ વિશે ફરિયાદ કરે છે :- નોંધનીય છે કે ગલ્ફ દેશોની ઘણી કંપનીઓએ પાકિસ્તાનમાં તેમના ભરતી કરનારાઓને ફરિયાદ કરી છે કે તેમના દ્વારા મોકલવામાં આવેલા લોકો સંબંધિત નોકરીની આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે. ઇસ્લામાબાદમાં વિન્સી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના મેનેજિંગ ડિરેક્ટર મુદ્દસર મીરે IANS ને જણાવ્યું હતું કે ગલ્ફ કંપનીઓ હવે પાકિસ્તાનમાંથી કોઈ મજૂર અથવા ટેકનિશિયન રાખવા માંગતી નથી કારણ કે તેઓ જાણે છે કે પાકિસ્તાનથી આવનારા કર્મચારીઓ બિનકાર્યક્ષમ સાબિત થશે.

Related Posts

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના…

પીએમ મોદીબે દિવસના મલેશિયા દૌરાએ,દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મલેશિયા પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં ‘IMPACT’ વિઝન રજૂ કર્યું અને UPI લોન્ચ કરવાની જાહેરાત કરી. પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *