પંચમહાલમાં ગેરકાયદે રેતી ખનન કરનારા સામે લાલ આંખ, ખનીજ વિભાગે 60 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી ખનન કરનારા સામે લાલ આંખ કરી છે. અને 6 ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ખાણ ખનીજને બાતમી મળી હતી કે, ગોમા નદીમાંથી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. વિભાગે ઘુસર અને કંકુથાંભલા ગામ પાસેથી ગેરકાયદે ખનન કરતાં લોકોને માલસામાન સાથે ઝડપી પાડ્યા હતા.

 

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રેત ખનન થવાના કિસ્સા વધ્યા છે. નદીના પટમાંથી રેતીની ચોરી કરી કોર્પોરેટ ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે. ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવતા ગેરકાયદે રેત ખનન કરનારાઓને સંકજામાં લીધા છે.

 

કાલોલના ઘુસર ગામ પાસેથી પસાર થતી ગોમા નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન કરનારા પર ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું હતું. વિભાગે દરોડા પાડી રેતી ભરતા 4 ટ્રેક્ટર ઝડપ્યા. આ ઉપરાંત અન્ય એક સ્થાન પર પણ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

 

ગોધરાના કંકુથાંભલા અને ગોધરાના મેશરી નદીના પટમાંથી રેતી ભરીને જતા 2 ટ્રેક્ટર ઝડપી પડાયા. ખાણ ખનીજ વિભાગે જુદા-જુદા સ્થાન પર હાથ ધરેલ દરોડામાં કુલ રેતી ભરેલ 6 ટ્રેક્ટર અને કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કમોસમી વરસાદમાં થયેલા પાક નુકશાન સામે જાણો અત્યાર સુધીમાં રાજ્યના કેટલા ખેડૂતોને મળી સહાય, આંકડા આવ્યા સામે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *