ત્રીજી વખત ચૂંટણી લડવાના સવાલ પર બોલ્યા યોગી ‘હું પ્રયાસ નહીં કરુ, પાર્ટી પ્રયાસ કરશે’

ANIએ બુધવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ઇન્ટરવ્યુ પ્રકાશિત કર્યો. આ ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે સીએમ યોગીને ગોરખપુરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમના જવાબે રાજકીય હલચલ મચાવી દીધી. તેમના જવાબ પછી, રાજકીય પંડિતોમાં મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

સીએમ યોગીને ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ત્રીજી વખત ચૂંટણી લડશે? આ પ્રશ્નનો જવાબ આપતા સીએમ યોગીએ કહ્યું, ‘હું પ્રયાસ નહીં કરું.’ અમારી પાર્ટી પ્રયાસ કરશે.

ભાજપનો કોઈપણ સભ્ય મુખ્યમંત્રી બની શકે છે:- જ્યારે તેમને છેલ્લા 8 વર્ષમાં વહીવટીતંત્રની સૌથી મોટી સિદ્ધિ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે તમે કોઈપણ ક્ષેત્ર જોઈ શકો છો. ખેતી હોય, યુવાધન હોય, માળખાગત સુવિધા હોય, રોકાણ હોય, કાયદો અને વ્યવસ્થા હોય, પર્યટન હોય કે વારસો અને વિકાસ વચ્ચેનો સારો સમન્વય હોય, ઉત્તર પ્રદેશ દેશમાં આનું સૌથી મહત્વપૂર્ણ ઉદાહરણ બની શકે છે.

વિપક્ષી નેતાઓને જવાબ:- મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રીએ મહાકુંભને મૃત્યુકુંભ કહેવા બદલ વિપક્ષને પણ જવાબ આપ્યો અને કહ્યું કે તે મૃત્યુંજય મહાકુંભ હતો, મૃત્યુકુંભ નહીં. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાંથી દરરોજ લગભગ 50 હજારથી એક લાખ ભક્તો મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે આવી રહ્યા હતા..તેમણે મહાકુંભ અંગે વિપક્ષી નેતાઓના નિવેદનોની પણ ટીકા કરી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષવાસી દેડકાની પ્રજાતીનો શોધ, પર્યાવરણપ્રેમીઓમાં ઉત્સાહ અને ઉત્સુકતા

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિ ધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ-નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન…

આવતીકાલે ‘વર્લ્ડ રેડિયો ડે’ , જાણો આ વર્ષે કઈ થીમ પર થશે ઉજવણી ?

વર્લ્ડ રેડિયો ડે’: સ્ક્રીન વિના સંવાદ એટલે ‘રેડિયો’ ચાલુ વર્ષે ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ સાથે ઉજવાશે ‘રેડિયો ડે’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કાર્યક્રમ થકી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *