ખંભાતમાં લાચિયો કોન્સ્ટેબલ ઝડપાયો, ફરિયાદનાં આધારે ACBએ છટકું ગોઠવી કરી ધરપકડ

ખંભાતમાં ACBએ ફરી લાચિયો કોન્સ્ટેબલ ઝડપી પાડ્યો છે. કોન્સ્ટેબલે રૂપિયા 2 લાખની માંગણી કરતા ACBએ છટકું ગોઠવ્યું હતું. અને આરોપી રોશનકુમાર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ફરિયાદી સામે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો હતો. જે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરના રાઇટર તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવી ફરિયાદીના મિત્રને હાજર કરાવવા તથા ફરિયાદીનું નામ પ્રોહિબિશનના ગુનામાં નહીં ખોલવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ રૂપિયા 200000ની લાંચની માંગણી કરી હતી.

જોકે, રકમની રકઝકના અંતે રૂપિયા 120000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીએ ફરીથી ફરિયાદીને બીજા રૂપિયા 30000 રૂપિયા ઉમેરીને કુલ રૂપિયા 150000ની લાંચની માગણી કરી હતી. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેને એ.સી.બી. ના ટોલ ફ્રી નં. 1064 ઉપર સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીએ બાદમાં આણંદ એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરિયાદ આપી હતી.

ACBએ ફરિયાદીની ફરિયાદ આધારે 16 જાન્યુઆરીએ લાંચના છટકાનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. જેમાં આરોપીએ મોજે કલોદરા ગામ ત્રણ રસ્તાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માગણી કરી હતી. એ.સી.બી.એ તુરંત આરોપીને પકડી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો હતો. જેમાં લાચિયા કોન્સટેબલ રોશનકુમાર જે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તેની ધરપકડ કરાઈ છે.

Related Posts

અમદાવાદના પૂર અસરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું રાહત પેકેજ: જાણો કોને કેટલી સહાય મળશે

જુલાઈ 2026 દરમિયાન અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિએ વેપારીઓ, લારી-રેકડી ધારકો, કેબિન સંચાલકો તેમજ નાના-મોટા દુકાનદારોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. અનેક ધંધાર્થીઓની દુકાનો, વેપારનું સાધન-સામાન અને રોજગારના માધ્યમોને નુકસાન થતાં તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પૂર અસરગ્રસ્ત વેપારીઓના પુનર્વસન અને ધંધાને ફરી શરૂ કરવામાં મદદરૂપ થવા માટે વિશેષ ‘આર્થિક અને પુનઃવસન સહાય પેકેજ’ જાહેર કર્યું છે. બે પ્રકારની સહાયનો લાભ મળશે ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ મુજબ અસરગ્રસ્ત વેપારીઓને મુખ્યત્વે બે પ્રકારની રાહત આપવામાં આવશે. પ્રથમ, નુકસાનના પ્રકાર અને ધંધાના માળખા પ્રમાણે ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જ્યારે પાકી દુકાન ધરાવતા પાત્ર વેપારીઓ માટે બીજી વ્યવસ્થા તરીકે બેંકની ટર્મ લોન…

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *