ઓસ્કાર 2025: આમિર-કિરણની ‘મિસિંગ લેડીઝ’ ઓસ્કારમાંથી બહાર, પણ આ હિન્દી ફિલ્મ ઓસ્કારમાં સ્થાન મેળવી શકી

કિરણ રાવ દિગ્દર્શિત ફિલ્મ ‘મિસિંગ લેડીઝ’ને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કારો ‘ધ એકેડમી’ એટલે કે ઓસ્કાર એવોર્ડ્સની 97મી આવૃત્તિ માટે ભારતમાંથી પસંદ કરવામાં આવી હતી. પરંતુ ચાહકો માટે ખરાબ સમાચાર છે, કારણ કે આ ફિલ્મ હવે ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

-> મિસિંગ લેડીઝ’ ઓસ્કારમાંથી બહાર :- એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ, આર્ટસ એન્ડ સાયન્સે મંગળવારે 2025 ઓસ્કારમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ એવોર્ડ માટે 15 ફિલ્મોની શોર્ટલિસ્ટ જાહેર કરી, જેમાં આમિર ખાન અને કિરણ રાવ નિર્દેશિત-નિર્મિત 2024ની ફિલ્મ ‘મિસિંગ લેડીઝ’ ખૂટે છે. જો કે તેમાં યુનાઇટેડ કિંગડમની એક હિન્દી ફિલ્મ ચોક્કસપણે સામેલ કરવામાં આવી છે.

-> આ હિન્દી ફિલ્મને સ્થાન મળ્યું :- તમને જણાવી દઈએ કે, ‘મિસિંગ લેડીઝ’ ઓસ્કરમાંથી બહાર રહી ગઈ છે પરંતુ બ્રિટિશ-ભારતીય ફિલ્મ નિર્માતા સંધ્યા સૂરી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સંતોષ’ને ઓસ્કર માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ યુકે દ્વારા ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી અને ટોપ 15ની યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ‘સંતોષ’ ફિલ્મમાં શહાના ગોસ્વામી અને સુનીતા રાજવાર લીડ રોલમાં છે. આ ફિલ્મને આ વર્ષે 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અન સર્ટન રિગાર્ડ વિભાગમાં નામાંકન મળ્યું હતું, જ્યાં તેનું પ્રીમિયર થયું હતું.

Related Posts

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

WCEF 2026 In Gandhinagar: કચરામાંથી કરોડોની કમાણી.. Innovative Waste-to-Wealth..

Gandhinagarમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં WCEF-2026નું ઉદ્ઘાટન; 66 દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ બન્યા સહભાગી Gandhinagar, 15 સપ્ટેમ્બર : પર્યાવરણ સંરક્ષણ સાથે આર્થિક વિકાસને જોડીને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણાતા ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)-2026’નો Gandhinagarના મહાત્મા મંદિર ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ફોરમની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમમાં અંદાજે 66 દેશોના 2,000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસ સુધી ચાલનારા આ ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમી, વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ, સંસાધનોના કાર્યક્ષમ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *