અમેરિકી સરકારની કડક કાર્યવાહી હાથ ધરી છે. અને અમેરિકામાં ગેરકાયદે રહેલા 119 ભારતીયોને પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ભારતીયોમાં 67 પંજાબના લોકો શામેલ છે. આ ખાસ Flight અમૃતસર એરપોર્ટ પર પહોંચશે, જ્યાં ભારત પરત ફરનારા લોકોને અમૃતસરથી પોત પોતાના વતન લઇ જવામાં આવશે. 33 હરિયાણાના લોકો પણ સામેલ છે. અમેરિકા તરફથી એસ્ટેબલિશમેન્ટ અને ઇમિગ્રેશન નિયમોના ઉલ્લંઘનને કારણે આ ભારતીયોને પરત મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લોકો ઘણા સમયથી અમેરિકામાં ગેરકાયદે રહેતા હતા. અને તેમને પાછા મોકલવાનો નિર્ણય ભારતીય સરકાર અને અમેરિકી અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.
આ બધા લોકો હવે દેશમાં પાછા આવશે, જ્યાં તેમનો નવું જીવન શરૂ કરવાની તક મળશે. આ પરતફરી કામગીરી હવે વધુ આવા કિસ્સાઓને નાબૂદ કરવા માટે એક સંકેત બની શકે છે. અમેરિકામાં ગેરકાયદે રહેલા 119 ભારતીયોને પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ભારતીયોમાં 8 ગુજરાતી અને 67 પંજાબના લોકો શામેલ છે. આ લોકોને લઇને ફ્લાઇટ 16 ફેબ્રુઆરીએ અમૃતસર પહોંચશે.મહત્વનું છે કે અમેરિકાની હાલમાં જ યાત્રા કરીને પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્ત્વપૂર્ણ વાતચીત થઇ હતી.
આ વચ્ચે જ અમેરિકામાં રહેતા ગેરકાયદે અપ્રવાસી ભારતીયોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ સાથે મુલાકાત બાદ PM મોદીએ પણ કોઇ દેશમાં ગેરકાયદેસર રહેવુ એ યોગ્ય ન હોવાનું જણાવ્યુ હતુ. ત્યારે હવે ગેરકાયદે ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ ભારત આવવાની છે. નોંધનીય છે કે અમેરિકાની સત્તામાં ફરીથી આવ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક નિર્ણય લીધો છે. જેમાંથી એક નિર્ણય USમાં ગેરકાયદે રહેતા લોકોને પરત મોકલવાનો છે. જે હેઠળ 5 ફેબ્રુઆરીએ અમેરિકન સૈન્ય વિમાન C-17 દ્વારા 104 ભારતીય અપ્રવાસીઓને પરત ભારત મોકલવામાં આવ્યા હતા. આ એ જ લોકો હતા જે લાખો-કરોડો રૂપિયા ખર્ચીને ગેરકાયદે રીતે અમેરિકામાં ઘુસ્યા અને ગત કેટલાક વર્ષોથી ત્યાં રહેતા હતા.






