અમેરિકાએ પરત મોકલેલા ભારતીયોને લઈને નીતિન પટેલનું નિવેદન, જાણો શું બોલ્યા…..

અમેરિકા દ્વારા પરત મોકલવામાં આવેલા ભારતીયોને લઈ વિવાદ થઇ રહ્યો છે. એક યુએસ નૌસેનાના વિમાનમાં ભારતીય નાગરિકો અમૃતસર પહોચ્યા હતા. જે પંજાબ, ગુજરાત અને હરિયાણા રાજ્યોથી છે. આ લોકો યુએસમાં લાંબા સમયથી રહી રહ્યા હતા. અને અમેરિકી કાયદાનું પાલન કરતાં હતાં.

 

આ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ ભારતીયોને બાંગ્લાદેશી ગેરકાયદેસર ઘુસણખોરો સાથે સરખાવવું યોગ્ય નથી. આ લોકો તેમની આવકને પોતાના વતનમાં મોકલતા અને ત્યાંના કાયદાઓને માનતા અને અમેરિકામાં શાંતિથી રહેતા હતાં.

 

નીતિન પટેલે વધુંમાં કહ્યું હતું કે, આ લોકો અમેરિકામાં ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા નહોતા. બાંગ્લાદેશથી આવતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓની સરખામણી સાથે આ ભારતીયોને આ રીતે નિંદા કરવી યોગ્ય નથી. તેમણે આવનારા લોકોને સહાનુભૂતિ સાથે સ્વીકૃત કરવાની જરૂરિયાત જણાવી હતી.

 

ઉલ્લેખનિય છે કે, અમેરિકાથી પરત આવનારમાં મહેસાણાના 12 લોકો છે. ગાંધીનગરના પણ 12 લોકોનો સમાવેશ થાય છે. તો સુરતના 4 અને અમદાવાદના 2 લોકો શામેલ છે. તો ખેડાના 1, વડોદરાના 1 અને પાટણના 1નો સમાવેશ થાય છે.

Related Posts

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રાજઘાટ પહોંચ્યા, મહાત્મા ગાંધીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા છે. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પુતિનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગુરુવારે દિલ્હી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *