અમરેલીમાં ત્રિપલ અકસ્માત, 2 લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત

B INDIA અમરેલી : અમરેલીના રાજુલા પાસેના બારપટોળી ગામ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં 3 મોટર સાયકલ એકબીજા સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને વધુ સારવાર શરૂ કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે અકસ્માતમાં એક મોટલ સાયકલ ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે. ત્યારે અકસ્માતની ઘટના બાબતે રાજુલા પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધીને અકસ્માતની ઘટના બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

-> અગાઉ અકસ્માતની 4 ઘટના બની હતી :- સુરેન્દ્રનગર શહેરના દુધરેજ, મલ્હાર ચોક, ધ્રાંગધ્રા હાઈવે અને દસાડા ગ્રામ્યની હોટલના મેદાનમાં અકસ્માતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં પાણશીણા હાઈસ્કૂલના શિક્ષિકા સહિત 6 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જ્યારે બનાવની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *