B INDIA અમદાવાદ : અમદાવાદ શહેરમાં બદલતા વાતાવરણ કારણે રોગચાળો વધાર્યો છે ત્યારે મિશ્ર ઋતુના કેસ વધતા તબીબએ લોકોને ચેતવ્યા છેકે હાલ બહારનું ખાવાનું ટાળવુ જોઈએ કારણ કે દર વર્ષ કરતા આ વર્ષે બેવડી ઋતુના કારણે સોલા સિવિલમાં દર્દીઓની વધુ ઓપીડી રહી છે. આ સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની ભીડ રહી છે સોલા સિવિલની ઓપીડી 12 હજારથી વધુ દર્દીઓની સંખ્યા નોંધાઇ છે જ્યારે 4 હજારથી એડમિટ કરવાનની ફરજ પડી છે તો હાલ વાયરલ ઇન્ફેક્શનના 103 દર્દી એડમિટ કર્યા છે. બાળકોની ઓપીડી વધતા તબીબે સાવચેતી રાખવા કરી અપીલ કરી છે બાળકોની ઓપીડી 100ને પાર છે જ્યારે 40 થી વધુ બાળકને એડમિટ કરવાનું ફરજ પડી છે.
-> મચ્છરનો ત્રાસ :- ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ વધી જાય છે.
-> ઉકાળેલુ પાણી પીવો :- વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.







