T20 વર્લ્ડકપ 2026 માટે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હવે ભારતની મૈત્રીભરી મેહમાનીમાં રમવા તૈયાર છે. પહેલા સમાચાર અનુસાર, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) IPL 2026માંથી મુસ્તફિઝુર રહેમાનની બહાર થતા ગુસ્સે ભરી હતી અને ટીમ ભારતમાં મેચ રમવા ઇચ્છતી નહોતી.
બાંગ્લાદેશ ટીમે ICCને વિનંતી કરી હતી કે તેમની મેચો શ્રીલંકામાં યોજવામાં આવે, પરંતુ હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ICC, BCCI અને BCB વચ્ચે યોજાયેલી બેઠકમાં BCBને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહેવામાં આવ્યું છે. પરિણામે શક્યતા છે કે બાંગ્લાદેશ ટીમ ભારતમાં પોતાની તમામ મેચો રમશે.
BCBનું પરિસ્થિતિ વિશે નિવેદન
BCBએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલામાં સરકારની મંજૂરી અનુસાર પગલાં લેશે. બોર્ડે પરિસ્થિતિ સુધારવા માટે પહેલ કરી છે અને કોઈ પણ સ્થિતિમાં BCCI સાથે ગડબડ કરવા ઇચ્છતું નથી.
ICCનું અભિપ્રાય
ICCના અધિકારીએ જણાવ્યું છે કે, “ICC બાંગ્લાદેશને ભારતમાં રમવા માટે મનાવવાનો પ્રયાસ કરશે. આ માત્ર બે ટીમો વિશે નથી, ફેન્સ, બ્રોડકાસ્ટર અને ટ્રાવેલિંગ મીડિયાનો પણ સમાવેશ થાય છે. ફક્ત ભારત સામેની મેચો જ બોક્સ ઓફિસને ઊંચી આવક આપી શકે છે. તેથી BCCI સાથે સારા સંબંધ જાળવવું મહત્વપૂર્ણ છે.”
આગળની શક્યતા
BCBએ કહ્યું છે કે તે પરિસ્થિતિ પર ગંભીરતાપૂર્વક વિચારશે અને અંતિમ નિર્ણય બાંગ્લાદેશ સરકારની મંજૂરી પછી લેવામાં આવશે. ICCએ આ મામલામાં પ્લાન B પર પણ કામ શરૂ કર્યું છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






