હરમનપ્રીત કૌરે બોલ પોતાના ખિસ્સામાં કેમ રાખ્યો? PM મોદીને જણાવ્યું આ કારણ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી, ત્યારે વાતાવરણ ગર્વ અને આનંદથી ભરેલું હતું. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાને કેપ્ટન હરમનપ્રીત કૌરને પૂછ્યું: “તમે તે મેચ બોલ તમારા ખિસ્સામાં કેમ રાખ્યો? તેનું કારણ શું હતું? શું તે તેના વિશે કઇ વિચાર્યું હતું કે કોઈએ તમને કંઈક કહ્યું હતું?”

પ્રશ્ન સાંભળીને હરમનપ્રીત હસી અને તેનો જવાબ હૃદયને સ્પર્શી ગયો: “ના, સાહેબ… આ પણ ભગવાનની યોજના હતી. એવું નહોતું કે છેલ્લો બોલ, છેલ્લો કેચ, મારી પાસે આવે, અને તે બોલ મારી પાસે આવે… બસ આટલા વર્ષોની મહેનત… વર્ષો રાહ જોવામાં લાગી… હવે જ્યારે તે મારી પાસે છે, તો તે મારી સાથે રહેશે. તે હજુ પણ મારી બેગમાં છે.”

લગભગ 42 વર્ષ પહેલાં, 1983માં ભારતની પહેલી વર્લ્ડ કપ જીત પછી સુનીલ ગાવસ્કરે મેચનો બોલ પોતાના ખિસ્સામાં રાખ્યો હતો અને હવે 2025માં, હરમનપ્રીતે અજાણતાં જ એ જ ક્ષણનું પુનરાવર્તન કર્યું છે – આ વખતે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં.

હરમનપ્રીતની કેપ્ટનશીપ રહી ઉત્તમ
દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં, જ્યારે નાદીન ડી ક્લાર્કે દીપ્તિ શર્માના બોલને કવર તરફ રમ્યો આ દરમિયાન હરમનપ્રીતે કેચ પકડીને ભારતનો પહેલો મહિલા ODI વર્લ્ડ કપ ખિતાબ જીત્યો. ઉજવણી દરમિયાન, તેણીએ ગુપ્ત રીતે બોલને તેના ખિસ્સામાં નાખ્યો હતો. ફાઇનલમાં હરમનપ્રીતની કેપ્ટનશીપ પણ ઉત્તમ હતી. તેણીએ બોલ શેફાલી વર્માને આપ્યો, જે સામાન્ય રીતે ODI માં ઓછી બોલિંગ કરે છે, અને આ પગલાથી મેચનો માહોલ પલટાઈ ગયો. શેફાલીએ સુને લુસ અને મેરિઝાન કાપને આઉટ કરીને ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અમદાવાદ તિરંગા યાત્રા: 284 AMTS બસોના રૂટ બદલાયા Important Update

અમદાવાદમાં તિરંગા યાત્રાને લઈને મોટું ટ્રાફિક ડાયવર્ઝન: 12 ઓગસ્ટે 284 AMTS બસોના રૂટ બદલાશે, જાણો કયા વાહનચાલકોએ ખાસ ધ્યાન રાખવું  અમદાવાદમાં 12 ઓગસ્ટે યોજાનારી ભવ્ય તિરંગા યાત્રાને પગલે 38 રૂટની 284 AMTS બસોના માર્ગોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો ટ્રાફિક ડાયવર્ઝન અને નાગરિકો માટેની સૂચનાઓ.અમદાવાદ શહેરમાં 12 ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રા યોજાવાની હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ અને તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે 38 રૂટ પર દોડતી 284 AMTS બસોના માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે.આ ટ્રાફિક ડાયવર્ઝનના કારણે રોજિંદા મુસાફરોને પોતાની મુસાફરીનું અગાઉથી આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી…

LPG Gas Cylinder: માત્ર 6 દિવસ બાકી, ગેસ બંધ થાય તે પહેલાં પતાવી લો આ કામ! Urgent Action

માત્ર 6 દિવસ બાકી, પછી LPG ગેસ સિલિન્ડર નહીં મળે? કંપનીઓની ચેતવણી વચ્ચે જાણો શું કરવું LPG ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર. KYC અને ગ્રાહકની માહિતી અપડેટ કરાવવા અંગેની ચેતવણી વચ્ચે જાણો શું કરવું, કયા દસ્તાવેજો જરૂરી છે અને સિલિન્ડર સપ્લાય પર શું અસર પડી શકે છે.LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા કરોડો ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માત્ર 6 દિવસ બાદ કેટલાક ગ્રાહકોને LPG સિલિન્ડર નહીં મળે, જો તેમણે જરૂરી પ્રક્રિયા પૂર્ણ નહીં કરી હોય. આ દાવાને કારણે ઘરેલુ ગેસ ગ્રાહકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને સબસિડી, ગેસ કનેક્શન અને સિલિન્ડરની ડિલિવરી સાથે જોડાયેલા ગ્રાહકો માટે KYC અને ગ્રાહક વિગતો અપડેટ રાખવી…