મેસેજ મોકલવા પર લિમિટ મૂકવા જઈ રહ્યું છે WhatsApp, મળશે એલર્ટ

મેટાની મેસેજિંગ એપ WhatsApp હવે એવા યુઝર્સ અને બિઝનેસ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકી રહી છે જે વારંવાર અજાણ્યા લોકોને મેસેજ મોકલે છે. કંપનીએ કહ્યું કે તે પ્લેટફોર્મ પર સ્પામ ઘટાડવા માટે ટૂંક સમયમાં મેસેજ લિમિટ સિસ્ટમ લાગુ કરશે.

હવે, યુઝર્સ અને બિઝનેસ એકાઉન્ટ દ્વારા મોકલવામાં આવેલ દરેક મેસેજ ગણતરીમાં લેવામાં આવશે, પછી ભલે તેને જવાબ મળે કે ન મળે. જો કોઈ મેસેજ કોઈ અજાણ્યા વ્યક્તિને મોકલવામાં આવે અને તેઓ જવાબ ન આપે, તો તે મેસેજ મંથલી લિમિટમાં ગણાશે.

મળશે એલર્ટ
WhatsAppએ જણાવ્યું હતું કે જ્યારે લિમિટ નજીક આવશે ત્યારે એપ્લિકેશન પોપ-અપ એલર્ટ પ્રદર્શિત કરશે, જે યુઝર્સને જણાવશે કે તેઓ તેને ઓળંગવાના છે જેથી તેમનું એકાઉન્ટ બ્લોક ન થાય.

ઘણા દેશોમાં પરીક્ષણ શરૂ થશે
કંપની આગામી અઠવાડિયામાં ઘણા દેશોમાં આ સુવિધાનું પરીક્ષણ કરી રહી છે. ભારત સહિત કેટલાક મુખ્ય બજારોમાં ટૂંક સમયમાં પરીક્ષણ શરૂ થશે. જોકે, WhatsApp કહે છે કે તે સામાન્ય વપરાશકર્તાઓને અસર કરશે નહીં, કારણ કે આ સિસ્ટમ મુખ્યત્વે સ્પામને રોકવા માટે બનાવવામાં આવી છે.

આ પગલું શા માટે જરૂરી છે?
WhatsApp હવે ફક્ત ચેટ એપ્લિકેશન નથી, પરંતુ વ્યવસાય અને સંદેશાવ્યવહાર માટેનું એક મુખ્ય સાધન છે. હવે દરરોજ થોબન્ધ મેસેજ મળી રહ્યા છે જેમાં જેમાંથી ઘણા પ્રમોશનલ અથવા સ્પામ હોય છે.

અગાઉ પણ ફેરફારો કરવામાં આવ્યા 
WhatsAppએ 2024માં માર્કેટિંગ મેસેજ લિમિટ અને અનસબ્સ્ક્રાઇબ વિકલ્પ જેવી સુવિધાઓ લોન્ચ કરી હતી જેથી યુઝર્સ બિનજરૂરી મેસેજ ટાળી શકે. વધુમાં, આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ બ્રોડકાસ્ટ મેસેજ લિમિટ લાગુ કરવાનું શરૂ કર્યું. કંપનીએ કહ્યું કે આ પ્રયોગ હવે ભારત સહિત 12 થી વધુ દેશોમાં વિસ્તૃત થઈ રહ્યો છે, જ્યાં તેના 500 મિલિયનથી વધુ યુઝર્સ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…

BIS : સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો Significant Price Escalation

(BIS સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો અગાઉ જ્વેલર્સ પર ખર્ચનો બોજ; સબસિડીની માગ દેશભરમાં સોના-ચાંદીની ખરીદી કરતા ગ્રાહકો અને જ્વેલરી વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સોનાના આર્ટિકલના હોલમાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સોનાના દરેક આર્ટિકલ માટે હોલમાર્કિંગ ફી ₹45 હતી, જે હવે વધારીને ₹75 કરવામાં આવી છે. એટલે કે પ્રતિ આર્ટિકલ ₹30નો વધારો થયો છે, જે ટકાવારીની દૃષ્ટિએ આશરે 66.7 ટકા થાય છે. નવી ફી 14 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી છે.હોલમાર્કિંગનો હેતુ સોનાની શુદ્ધતા અને ગુણવત્તા અંગે ગ્રાહકને વિશ્વસનીય માહિતી આપવાનો છે. BISની વ્યવસ્થામાં હોલમાર્કવાળી જ્વેલરી પર શુદ્ધતા સંબંધિત નિશાની અને HUID જેવી વિગતો ગ્રાહકને ચકાસણીની સુવિધા…