ટ્રમ્પનું નિવેદન: ‘જો હું ન હોત તો આજે ઇઝરાયેલ પણ ન હોત, કદાચ કોઈ દિવસ ઇરાનના અયાતુલ્લાને મળીશ’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇઝરાયેલ અને ઇરાનને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું છે કે, “જો હું ન હોત તો આજે ઇઝરાયેલનું અસ્તિત્વ જ ન હોત.” ટ્રમ્પે સાથે સાથે એ પણ જણાવ્યું કે ભવિષ્યમાં તેઓ ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેનીને પણ મળી શકે છે. તાજેતરમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે દાવો કરતાં કહ્યું કે ઇરાન પહેલેથી જ પરમાણુ હથિયારો ન રાખવા માટે સંમત થઈ ચૂક્યું છે. જોકે તેમણે ઉમેર્યું કે ઇરાન ભવિષ્યમાં પોતાનો નિર્ણય બદલી શકે છે. ટ્રમ્પે કહ્યું, “મને અયાતુલ્લાને મળવાનો અવસર મળ્યો નથી, પરંતુ કદાચ કોઈ દિવસ હું તેમને મળીશ.”

ઇરાન વિરુદ્ધ કાર્યવાહી અંગે શું કહ્યું?
ઇરાન સામે કરવામાં આવેલી કાર્યવાહી વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે જણાવ્યું કે તેઓ શરૂઆતથી જ કડક વલણના પક્ષમાં હતા. તેમણે કહ્યું, “અમે ઇરાનને પરમાણુ હથિયારો મેળવવાની મંજૂરી આપી શકતા નથી. આ જ કારણસર મેં આ પ્રક્રિયાની શરૂઆત કરી હતી. જો હું ન હોત તો આજે ઇઝરાયેલ પણ ન હોત.” ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેનો તણાવ હજુ પણ વૈશ્વિક ચર્ચાનો વિષય બન્યો છે અને બંને દેશો તરફથી સતત નિવેદનો સામે આવી રહ્યા છે.

જેડી વેન્સ અને માર્કો રુબિયોના કર્યા વખાણ
ટ્રમ્પે અમેરિકાના ઉપપ્રમુખ JD Vance અને અમેરિકાના વિદેશમંત્રી Marco Rubioના પણ ખુલ્લેઆમ વખાણ કર્યા. તેમણે કહ્યું કે બંને નેતાઓ ખૂબ જ પ્રતિભાશાળી છે અને ભવિષ્યમાં એક મજબૂત રાજકીય ટીમ તરીકે ઉભરી શકે છે.

જો બાઇડન અંગે પણ કરી ટિપ્પણી
2024ની ચૂંટણી દરમિયાન થયેલી ચર્ચાને યાદ કરતાં ટ્રમ્પે Joe Biden અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ચર્ચા દરમિયાન બાઇડનની સ્થિતિ જોઈને તેમને આશ્ચર્ય થયું હતું.

નેતન્યાહૂની પ્રશંસા સાથે ટીકા પણ
ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની પ્રશંસા કરી, પરંતુ સાથે જ કેટલીક નીતિઓ અંગે અસંતોષ પણ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે એક સમયે તેમણે નેતન્યાહૂને કહ્યું હતું કે તેઓ ખૂબ જ આક્રમક રીતે આગળ વધી રહ્યા છે અને સંઘર્ષને રોકવા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂર છે. ટ્રમ્પે દાવો કર્યો કે તેઓ જે ઉમેદવાર અથવા નેતાને સમર્થન આપે છે, તેને સામાન્ય રીતે સફળતા મળે છે. તેમના આ નિવેદનોને અમેરિકન અને મધ્ય પૂર્વની રાજનીતિમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

 

 

 

  • Related Posts

    રીબડા અમિત ખુંટ કેસ સાથે સંકળાયેલી પૂજા રાજગોરનું માર્ગ અકસ્માતમાં મોત, પરિવારના ચાર સભ્યો ઘાયલ

    રાજકોટ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે શ્રીનાથગઢ-મોવિયા રોડ પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં અમિત ખુંટ આપઘાત કેસ સાથે ચર્ચામાં રહેલી પૂજા રાજગોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં પાંચ વર્ષની બાળકી…

    કૂચબિહાર બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ તાત્કાલિક કાર્યવાહી કરી સ્થિતિ કાબૂમાં લીધી

    ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી એકવાર સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લાના મેખલીગંજ વિસ્તારમાં કેટલાક બાંગ્લાદેશી નાગરિકોએ ભારતીય સરહદ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી…