ટ્રમ્પનો દાવો : ઈરાન સાથે આવતીકાલ સુધીમાં થઈ શકે છે ફાઈનલ ડીલ

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, રાષ્ટ્રપતિ Donald Trump રવિવારે એક મહત્વપૂર્ણ નિવેદન કર્યું છે. ટ્રમ્પએ જણાવ્યું કે ઈરાન સાથેની સમજૂતી સોમવાર સુધીમાં પૂર્ણ થઈ શકે છે. રવિવારે ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેહરાન હાલમાં વાટાઘાટો કરી રહ્યું છે અને આવતીકાલ સુધીમાં પરિણામ આવી શકે છે.

ઈરાનના વાટાઘાટકારોને મર્યાદિત માફી
ટ્રમ્પએ જણાવ્યું કે ઈરાનના વાટાઘાટકારોને મર્યાદિત માફી આપવામાં આવી છે. તેમણે કહ્યું, “આવતીકાલ સુધીમાં ઈરાન સાથે સમજૂતી શક્ય છે અને તેહરાન (ઈરાન સરકાર) વાટાઘાટો કરી રહ્યું છે. જો તેહરાન કરાર કરવા તૈયાર નહીં થાય, તો હું આદર્શ રીતે ઈરાની ઓઇલ પર કબજો કરી લઈશ.”

અલ્ટીમેટમ અને યુદ્ધ જેવી સ્થિતિ
ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે જો મંગળવાર સુધીમાં ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખોલવામાં નહીં આવે, તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરવામાં આવશે. તેમણે 48 કલાકનું અલ્ટીમેટમ આપી જણાવ્યું હતું કે જો સમજૂતી ન થાય, તો ઈરાન પર “નરક જેવો પ્રકોપ વરસશે.”

ઈરાને આ અલ્ટીમેટમને અવગણ્યું છે અને તેને ટ્રમ્પની “નિરાશા અને ગભરામણ” ગણાવી છે. ઈરાની સૈન્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે કોઈપણ કાર્યવાહી આ પ્રદેશને અમેરિકા અને ઈઝરાયલ માટે “નરક” બની શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    સંસદમાં મોટા રાજકીય ઘટનાક્રમના સંકેત : કોંગ્રેસે લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો

    સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રાજકીય ચર્ચા અને કાયદાકીય કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કરીને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોને પણ દિલ્હીમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષોની આ તૈયારીઓને જોતા સંસદમાં આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ બિલ અથવા ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે શા માટે લોકસભા સાંસદો માટે જાહેર કર્યો થ્રી-લાઇન વ્હીપ? લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના મુખ્ય સચેતક (ચીફ વ્હીપ) કોડિકુન્નિલ સુરેશે તમામ કોંગ્રેસ સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર…

    ‘ડોલ્ફિન’ વાવાઝોડાનો જાપાનમાં કહેર, 2.6 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ; 500થી વધુ ફ્લાઇટ્સ રદ

    તાજેતરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા જાપાન સામે હવે વધુ એક કુદરતી પડકાર ઊભો થયો છે. ટાયફૂન ‘ડોલ્ફિન’ના કારણે દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભારે વરસાદ, તોફાની પવન અને ઊંચા દરિયાઈ મોજાંએ જનજીવનને અસર પહોંચાડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાપાનની હવામાન એજન્સી (JMA)એ લાખો લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને લગભગ 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો છે. ઓકિનાવા અને કાગોશિમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઓકિનાવા અને કાગોશિમા સૌથી વધુ પ્રભાવિત ટાયફૂન ડોલ્ફિન સૌથી પહેલાં દક્ષિણ-પશ્ચિમ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં પહોંચ્યું હતું. ત્યારબાદ તેની અસર કાગોશિમા સહિત નજીકના વિસ્તારોમાં પણ જોવા મળી…