કેન્દ્રીય મંત્રીમંડળે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ગુજરાત સહિત આ રાજ્યોને મળશે લાભ

કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સમાં વર્ધા-ભુસાવલ ત્રીજી અને ચોથી લાઇન, ગોંદિયા-ડોંગરગઢ ચોથી લાઇન, વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી લાઇન અને ઇટારસી-ભોપાલ-બીના ચોથી લાઇનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સનો ખર્ચ આશરે ₹24,634 કરોડ થશે. આ પ્રોજેક્ટ્સ ચાર રાજ્યો: મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેશે અને ભારતીય રેલ્વેના હાલના નેટવર્કમાં આશરે 894 કિલોમીટરનો ઉમેરો કરશે.

આ પ્રોજેક્ટ્સ આશરે 85.84 લાખની વસ્તી ધરાવતા આશરે 3,633 ગામોમાં કનેક્ટિવિટીમાં સુધારો કરશે. આમાં બે મહત્વાકાંક્ષી જિલ્લાઓ – વિદિશા (મધ્યપ્રદેશ) અને રાજનાંદગાંવ (છત્તીસગઢ)નો સમાવેશ થાય છે, જેને સુધારેલ રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે. મલ્ટી-ટ્રેકિંગ પેસેન્જર અને માલવાહક ટ્રેનોની ક્ષમતામાં વધારો કરશે, ટ્રેનની ગતિમાં સુધારો કરશે અને વિલંબ ઘટાડશે. આ પ્રોજેક્ટ્સ આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે અને આ વિસ્તારોમાં રોજગારીની તકોનું સર્જન કરશે.

મંજૂર થયા પ્રોજેક્ટ્સ
વર્ધા – ભુસાવલ: ત્રીજી અને ચોથી લાઇનનું બાંધકામ – ૩૧૪ કિમી (મહારાષ્ટ્ર)
ગોંદિયા – ડોંગરગઢ: ચોથી લાઇનનું નિર્માણ – 84 કિમી (મહારાષ્ટ્ર અને છત્તીસગઢ)
વડોદરા – રતલામ: ત્રીજી અને ચોથી લાઇનનું બાંધકામ – 259 કિમી (ગુજરાત અને મધ્યપ્રદેશ)
ઇટારસી – ભોપાલ – બીના: ચોથી લાઇનનું નિર્માણ – 237 કિમી (મધ્ય પ્રદેશ)

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો, મોદી સરકારે રાફેલની ખરીદી માટે આપી મંજૂરી

ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થવાનો છે.  મોદી સરકારે ફ્રાન્સ પાસેથી નવા રાફેલ જેટ ખરીદવાની મંજૂરી આપી છે. ગયા વર્ષે, ઓપરેશન સિંદૂર દરમિયાન, આખી દુનિયાએ રાફેલ ફાઇટર જેટની શક્તિ જોઈ, ભારતે…

રાહુલ ગાંધી વિરુદ્ધ સરકાર વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ નહીં કરે, જાણો શું છે મામલો

કેન્દ્ર સરકાર હવે રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ નહીં લાવે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ નહીં લાવે. રાહુલ ગાંધીના ગઈકાલના ભાષણને કાઢી નાખવામાં આવશે કારણ કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *