રાજ્યભરમાં બેવડી ઋતુની અસર, સવારમાં ઠંડી તો બપોરે ગરમી

ગુજરાત રાજ્યમાં હવામાનના બદલાતા મિજાજને કારણે હાલ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા પવનોને કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે બપોરે પવનોની દિશા બદલાતાં તાપમાનમાં વધારો થતાં ગરમી અનુભવાઈ રહી છે.

નલિયામાં રાજ્યનું લઘુતમ તાપમાન
કચ્છના નલિયા ખાતે રાજ્યનું સૌથી ઓછું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેના કારણે સવારના સમયે ઠંડીનું પ્રમાણ વધારે રહ્યું હતું. રાજ્યના અનેક વિસ્તારોમાં સવાર અને સાંજના સમયે હળવી ઠંડી જ્યારે બપોરે ગરમી અનુભવાઈ રહી છે.

અમદાવાદ-ગાંધીનગરમાં પણ ઠંડીની અસર
મહાનગર અમદાવાદમાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.5 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ગુજરાતના ડીસામાં 15 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો અહેસાસ રહ્યો હતો.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન
મધ્ય ગુજરાતના વડોદરામાં લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતના સુરતમાં 18.1 ડિગ્રી નોંધાયું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન
સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટમાં 17.2, ભાવનગરમાં 17.9 અને અમરેલીમાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને કંડલામાં 16 ડિગ્રી, મુન્દ્રામાં 16.4 ડિગ્રી તથા મહુવામાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આગામી દિવસોમાં બપોરે ગરમી યથાવત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ઉત્તર-પૂર્વ પવનોના કારણે સવારમાં ઠંડીનો અહેસાસ રહેશે, જ્યારે આગામી દિવસોમાં બપોરના સમયે ગરમીનો અનુભવ યથાવત રહેવાની શક્યતા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

યુદ્ધ દરમિયાન ઈરાને વધારી સૈન્ય તાકાત! નવા ડ્રોન અને અપગ્રેડેડ મિસાઈલ સિસ્ટમ તૈયાર હોવાનો દાવો

અમેરિકા અને ઇઝરાયેલ સાથેના સંઘર્ષ દરમિયાન ઈરાને માત્ર જવાબી હુમલાઓ જ નહીં કર્યા, પરંતુ પોતાની સૈન્ય ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે પણ સતત કામગીરી ચાલુ રાખી હતી. ઈરાની સેનાના પ્રવક્તા…

સેશેલ્સમાં PM મોદીની મોરીશિયસના વડાપ્રધાન સાથે મુલાકાત, દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય સેશેલ્સ પ્રવાસ દરમિયાન રવિવારે મોરીશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા…