હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ, ઈરાન-અમેરિકા વચ્ચે હુમલાના દાવા

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઈરાનની સૈન્ય કમાન ‘ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર્સ’એ દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક બે ઈરાની જહાજોને નિશાન બનાવી હુમલો કર્યો છે. ઈરાનના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી દરમિયાન દક્ષિણ ઈરાનના કેટલાક રહેણાંક વિસ્તારો પર પણ હુમલા કરવામાં આવ્યા હતા.

ઈરાની સૈન્ય પ્રવક્તા ઈબ્રાહિમ જોલ્ફાગરીએ આ હુમલાને અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. મળતી માહિતી મુજબ, નિશાન બનેલા જહાજોમાં એક ઓઈલ ટેન્કર હતું, જે જસ્ક નજીકથી હોર્મુઝ સ્ટ્રેટ તરફ જઈ રહ્યું હતું, જ્યારે બીજું જહાજ UAEના ફુજૈરાહ નજીક આ જલમાર્ગમાં પ્રવેશી રહ્યું હતું. ઈરાનનો આરોપ છે કે હોર્મોઝગાન પ્રાંતના બંદર-એ-ખમીર અને સિરિક જેવા નાગરિક વિસ્તારોમાં પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

ઈરાને દાવો કર્યો છે કે અમેરિકી કાર્યવાહી બાદ તેના દળોએ તાત્કાલિક જવાબી હુમલો કર્યો હતો. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નેવીએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટના પૂર્વીય ભાગ અને ચાબહાર બંદર નજીક હાજર અમેરિકી સૈન્ય જહાજોને બેલેસ્ટિક મિસાઈલો, એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલો અને વિસ્ફોટક ડ્રોનથી નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાનના દાવા મુજબ, આ હુમલાના કારણે ત્રણ અમેરિકી ડિસ્ટ્રોયર જહાજોને વિસ્તાર છોડવો પડ્યો હતો.

બીજી તરફ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ ઈરાનના તમામ દાવાઓને ફગાવી દીધા છે. અમેરિકાનું કહેવું છે કે તેની સેનાએ ઈરાન તરફથી થયેલા ‘ઉશ્કેરણીજનક હુમલા’ને અટકાવવા આત્મરક્ષણમાં કાર્યવાહી કરી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા અમેરિકી ડિસ્ટ્રોયર જહાજોને કોઈ નુકસાન થયું નથી.

ટ્રમ્પે ચેતવણી આપતાં જણાવ્યું કે જો ઈરાન તરફથી ફરી હુમલો કરવામાં આવશે તો અમેરિકા વધુ કડક અને જોરદાર જવાબ આપશે. હાલ હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં વધેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે તેલ સપ્લાય અને સમુદ્રી સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે.

 

 

  • Related Posts

    સંસદમાં મોટા રાજકીય ઘટનાક્રમના સંકેત : કોંગ્રેસે લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો

    સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રાજકીય ચર્ચા અને કાયદાકીય કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કરીને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોને પણ દિલ્હીમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષોની આ તૈયારીઓને જોતા સંસદમાં આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ બિલ અથવા ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે શા માટે લોકસભા સાંસદો માટે જાહેર કર્યો થ્રી-લાઇન વ્હીપ? લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના મુખ્ય સચેતક (ચીફ વ્હીપ) કોડિકુન્નિલ સુરેશે તમામ કોંગ્રેસ સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર…

    ‘ડોલ્ફિન’ વાવાઝોડાનો જાપાનમાં કહેર, 2.6 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ; 500થી વધુ ફ્લાઇટ્સ રદ

    તાજેતરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા જાપાન સામે હવે વધુ એક કુદરતી પડકાર ઊભો થયો છે. ટાયફૂન ‘ડોલ્ફિન’ના કારણે દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભારે વરસાદ, તોફાની પવન અને ઊંચા દરિયાઈ મોજાંએ જનજીવનને અસર પહોંચાડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાપાનની હવામાન એજન્સી (JMA)એ લાખો લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને લગભગ 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો છે. ઓકિનાવા અને કાગોશિમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઓકિનાવા અને કાગોશિમા સૌથી વધુ પ્રભાવિત ટાયફૂન ડોલ્ફિન સૌથી પહેલાં દક્ષિણ-પશ્ચિમ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં પહોંચ્યું હતું. ત્યારબાદ તેની અસર કાગોશિમા સહિત નજીકના વિસ્તારોમાં પણ જોવા મળી…