દીપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર / સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં વિશ્વ યોગ ગુરૂ રાજર્ષિ મુનિજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ આગામી 5 દિવસ માટે યોજાવાનો છે ત્યારે પૂર્વ આયોજિત માટે આજે લાઇફ મિશન લીંબડી ટ્રસ્ટીઓ, યોગ, સેવકો સાથે લીંબડી લાઇફ મિશન ના અધ્યક્ષ આઈ.કે. જાડેજા (પૂર્વ કેબિનેટ મંત્રી) ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામા આવી હતી
આ બેઠક માં સુરેન્દ્રનગર તેમજ લીંબડી શહેર માં શોભાયાત્રા, મૂર્તિ પ્રતિષ્ઠા, રાત્રિના સમયે ભજન, ડાયરો, પ્રસાદ, પૂજા પાઠ સહિત ના કાર્યક્રમ માં દરેક સમાજ ના લોકો તેમજ પુરા વિશ્વ તથા ભારત ભરમાંથી મહેમાનો, સાધુ સંતો પધારવાના છે ત્યારે વ્યવસ્થા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
આ બેઠક માં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સહદેવસિંહ રાણા, લાઇફ મિશન મહા સચિવ અશોકસિંહ ગોહિલ, મહાવીરસિંહ ઝાલા, ભગીરથસિંહ રાણા, અને લીંબડી, સુરેન્દ્રનગર, લખતર કરણી સેના, ક્ષત્રિય સમાજ હોદેદારો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






