બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરની બે દિવસીય ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમક્ષ ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો મજબૂતીથી ઉઠાવ્યો હતો. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી.”
દ્વિપક્ષીય સંબંધોમાં મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ
આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ મુક્ત વેપાર કરાર (FTA), સંરક્ષણ સહયોગ, ટેકનોલોજી, અને શિક્ષણ ક્ષેત્રે ભાગીદારી વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરી. વડાપ્રધાન સ્ટાર્મર ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે મુંબઇ પહોંચ્યા હતા, સાથે 125-સદસ્યોએ યુકેનું અત્યાર સુધીનું સૌથી મોટું વેપાર પ્રતિનિધિમંડળ પણ સામેલ હતું.
ભારતમાં બ્રિટિશ યુનિવર્સિટીઓના કેમ્પસ
વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે, બ્રિટનની નવ યુનિવર્સિટીઓ હવે ભારતમાં પોતાના કેમ્પસ ખોલી રહી છે. તાજેતરમાં સાઉથમ્પ્ટન યુનિવર્સિટીએ ગુરુગ્રામમાં પોતાનો કેમ્પસ શરૂ કર્યો છે.
ખાલિસ્તાની તત્વો વિરુદ્ધ કડક સંદેશ
પ્રધાનમંત્રીએ ખાસ કરીને એ મુદ્દો પણ ઉઠાવ્યો કે બ્રિટનમાં ખાલિસ્તાની તત્વોના કારણે ભારતીય દૂતાવાસો અને સમુદાયને પડકારો ભોગવવા પડે છે. તેમણે કહ્યું કે આવી પ્રવૃત્તિઓ લોકશાહી માટે જોખમી છે અને યુકે સરકારએ આ દિશામાં અસરકારક પગલાં લેવી જોઈએ.







