બિહારમાં નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ: નીતિશ કુમાર 20 નવેમ્બરે 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જાણો વિગત

બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારની આવનારી કેબિનેટમાં બે નાયબ મુખ્યમંત્રી અને આશરે 20 મંત્રીઓનો સમાવેશ થશે. મંત્રીઓને ફોન દ્વારા આમંત્રણ મળવાનું શરૂ થઈ ગયું છે.

બુધવારે BJP–JDU અને NDA વિધાનસભા પક્ષોની બેઠકો
બુધવારે સવારે પહેલા ભાજપ અને જેડીયુની અલગ બેઠકો યોજાશે. ત્યારબાદ, બપોરે NDAના વિધાનસભા પક્ષની સંયુક્ત બેઠક યોજાશે, જેમાં નીતિશ કુમારને ફરીથી NDA વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવશે. વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદગી બાદ તેઓ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવા દાવો રજૂ કરશે.

20 નવેમ્બરે શપથ ગ્રહણ: મોદી અને અમિત શાહ હાજરી આપશે
નીતિશ કુમાર 20 નવેમ્બર બપોરે 1:30 વાગ્યે, ગાંધી મેદાન, પટના ખાતે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. મોદી ગુરુવારે પટના પહોંચશે. અમિત શાહ બુધવારે પહોંચશે. ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને NDA શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓને આમંત્રણ આપ્યું છે.

કેબિનેટમાં આ પક્ષોનો સમાવેશ
આવનારી કેબિનેટમાં નીચેના NDA ઘટક પક્ષોના ધારાસભ્યો સામેલ થવાની શક્યતા છે:
– BJP
– JDU
– LJP (RJD)
– હિન્દુસ્તાની અવમ મોરચા (HAM)
– રાષ્ટ્રીય લોક મોરચા (RLDM)
સૂત્રોના જણાવ્યા મુજબ, HAMના સંતોષ કુમાર સુમન, RLDMમાંથી પ્રો. સ્નેહલતા મંત્રીપદ માટે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. BJP અને JDU પોતપોતાની મંત્રી યાદીઓને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. BJP પક્ષની યાદીને ગૃહમંત્રી અમિત શાહ અંતિમ મંજુરી આપી રહ્યાં છે.

વિધાનસભા પક્ષના નેતા માટે BJPની બેઠક
BJP વિધાનસભા પક્ષના નેતાના ચયન માટે બેઠકનું નેતૃત્વ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય કરશે, જેમને આ પ્રક્રિયાના કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ સહ-નિરીક્ષક તરીકે હાજર રહેશે. BJPના ધારાસભ્ય પક્ષના નેતાનું નામ સર્વાનુમતે નક્કી થશે અને તેનો એક નેતા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

વિધાનસભાના વિસર્જન પછી નવી પ્રક્રિયા શરૂ
મંગળવારે નીતિશ કુમારે રાજ્યપાલને પત્ર લખીને 19 નવેમ્બરે વિધાનસભા વિસર્જન કરવાની ભલામણ કરી હતી. 17મી વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે સમાપ્ત થવાનો છે.

શપથ ગ્રહણ બાદ:
– 18મી વિધાનસભાની રચના
– પ્રો-ટેમ સ્પીકરની નિમણૂક
– નવા ધારાસભ્યોને શપથ
– નવા વિધાનસભા સ્પીકરની પસંદગી
કારણ કે NDA ને વિધાનસભામાં બહુમતી છે, નવા સ્પીકરની પસંદગી બિનહરીફ રહેશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

લેબનોનમાં ઈઝરાયલનો હુમલો: હિઝબુલ્લાહના ‘રાદવાન ફોર્સ’ કમાન્ડર અબુ ખલીલ બરજી ઠાર

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ લેબનોનમાં મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. IDFએ રવિવારે જાહેરાત કરી છે કે શનિવારે દક્ષિણ લેબનોનના મજદલ સેલમ વિસ્તારમાં ટાર્ગેટેડ હુમલામાં હિઝબુલ્લાહના કુખ્યાત ‘રાદવાન…

મિડલ ઇસ્ટ સંકટ: પીએમ મોદીની હાઈ-લેવલ બેઠક, ઊર્જા સુરક્ષા પર ખાસ ધ્યાન

મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા…