પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી હિંસા: સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હિંસાનો માહોલ યથાવત રહ્યો છે. તાજા બનાવમાં મમતા બેનર્જીને હરાવનાર સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અજાણ્યા હુમલાખોરોએ ચંદ્રનાથ રથ પર અચાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમના પર તાબડતોબ ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ગોળીઓ તેમના માથા, છાતી અને પગમાં વાગી હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘટના બાદ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવે રાજ્યમાં રાજકીય તણાવ વધુ ઉગ્ર બનાવી દીધો છે.

હાલમાં પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે. હુમલાખોરો કોણ હતા અને હુમલા પાછળનો હેતુ શું હતો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસ આરોપીઓને ઝડપવા માટે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.

ચૂંટણી પછી વધતી હિંસાની ઘટનાઓને કારણે રાજ્યનું રાજકીય વાતાવરણ તંગ બન્યું છે, અને સુરક્ષાની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.

 

 

  • Related Posts

    કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય: ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત જેટલો દરજ્જો, અપમાન કરનારને કાયદેસર સજા

    પશ્ચિમ બંગાળમાં મહત્ત્વપૂર્ણ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રની પ્રથમ કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’…

    મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી: તાજ અને ટ્રાઈડન્ટ હોટલ હાઈ એલર્ટ પર

    મુંબઈની પ્રતિષ્ઠિત Taj Mahal Palace Hotel અને Trident Hotelને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં હડકંપ મચી ગયો છે. ધમકીભર્યા ફોન બાદ મુંબઈ પોલીસે તાત્કાલિક પગલાં લીધા અને બંને હોટલોમાં…