પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા ફરી ભભૂકી, હાવડામાં બોમ્બ બ્લાસ્ટમાં ભાજપના 2 કાર્યકરો ઘાયલ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ રાજકીય તણાવ સતત વધી રહ્યો છે. ગુરુવારે હાવડા જિલ્લાના શિવપુર વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં ભાજપના બે કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ, શિવપુર પોલીસ સ્ટેશન હેઠળ આવેલા ચૌરાબસ્તી વિસ્તારમાં બપોરે લગભગ 2:30 વાગ્યે અથડામણ સર્જાઈ હતી. ભાજપનો આરોપ છે કે સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શમીમ અહમદના સમર્થકોએ ભાજપ કાર્યકરો પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પથ્થરમારો તેમજ દેશી બોમ્બ ફેંકાયા હોવાનું પણ જણાવાયું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ દળ, કેન્દ્રીય સુરક્ષા દળ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સુરક્ષા દળોએ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાના વિરોધમાં ભાજપ કાર્યકરોએ શિવપુર પોલીસ સ્ટેશન બહાર પ્રદર્શન કર્યું હતું અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે.

હાવડા સિટી પોલીસ કમિશનર અખિલેશ ચતુર્વેદીએ જણાવ્યું કે આ રાજકીય અથડામણનો મામલો છે. પોલીસ સમયસર પહોંચી જતા પરિસ્થિતિ વધુ બગડતી અટકાવી શકાઈ હતી. તેમણે જણાવ્યું કે ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ કાંથી વિસ્તારમાં પણ તૃણમૂલ કોંગ્રેસના નેતા ઉસ્માન ગનીના ઘરે બોમ્બ હુમલો થયાની ઘટના સામે આવી છે. આ હુમલાને કારણે રાજ્યમાં રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને હુમલાઓ પાછળ કોઈ રાજકીય કડી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

 

 

  • Related Posts

    2026 પંજાબ ભાજપ અકાલી દળ ગઠબંધન : ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી થશે? પીએમ મોદી અને સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ

    પીએમ નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ-અકાલી દળના ગઠબંધનને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. જાણો સમગ્ર ઘટનાક્રમ અને તેની રાજકીય અસર. ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી શરૂ થશે? પીએમ મોદી-સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ પંજાબના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારની અટકળો તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળ (SAD)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ અને અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધન થઈ શકે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. બંને પક્ષ તરફથી આ મુલાકાત અંગે કોઈ સત્તાવાર રાજકીય જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં આ બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. એક સમય…

    6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનતથી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળા 2026 Exquisite Art.

    ₹6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનત પછી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળાનો અજોડ નમૂનો પટોળું  ગુજરાતના વિશ્વવિખ્યાત પાટણના પટોળાની બનાવટ, કિંમત, કારીગરોની મહેનત અને તેની વૈશ્વિક ઓળખ વિશે જાણો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ પટોળું ભેટમાં આપ્યું હતું. ગુજરાતની ધરતી પર જન્મેલી અનેક પરંપરાગત કલાઓમાં પાટણનું પટોળું (Patan Patola) વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેની અદભૂત ડિઝાઇન, સૂક્ષ્મ કારીગરી અને અનોખી વણાટ પદ્ધતિને કારણે પટોળું માત્ર એક સાડી નથી, પરંતુ ભારતીય હસ્તકળાનું જીવંત પ્રતીક છે. આજે પણ એક અસલી પટોળાની કિંમત લાખોમાં પહોંચી શકે છે. કેટલીક વિશેષ ડિઝાઇનવાળી પટોળા સાડીની કિંમત ₹6 લાખ કે તેથી વધુ પણ હોઈ શકે છે. પાટણના પટોળાની વૈશ્વિક લોકપ્રિયતાનો અંદાજ એ…