ગુજરાત વિધાનસભામાં GUJCTOC સુધારા વિધેયક પાસ: આતંકવાદી ગુનાઓ હવે BNS હેઠળ

ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક-2026’ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ સુધારા સાથે રાજ્યના GUJCTOC કાયદામાંથી આતંકવાદ સંબંધિત જોગવાઈઓ દૂર કરવામાં આવી છે. હવે આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત તમામ ગુનાઓની તપાસ અને કાર્યવાહી કેન્દ્ર સરકારના નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કરવામાં આવશે.

કાયદાકીય ફેરફાર પાછળનું કારણ
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, વર્ષ 2015માં અમલમાં આવેલા GUJCTOC Actમાં આતંકવાદ અને સંગઠિત ગુનાઓ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ભારતીય ન્યાય સંહિતાની કલમ 113માં આતંકવાદ વિરોધી કડક જોગવાઈઓ પહેલેથી જ સમાવાઈ ગઈ છે. એક જ પ્રકારના ગુનામાં બે અલગ કાયદા હેઠળ કાર્યવાહી ન થાય તે માટે આ સુધારો લાવવામાં આવ્યો છે.

હવે સંગઠિત ગુનાઓ પર વધુ ફોકસ
આ સુધારા બાદ GUJCTOC Actનો વ્યાપ મુખ્યત્વે સંગઠિત ગુનાઓ સુધી મર્યાદિત રહેશે. રાજ્યમાં ગેંગસ્ટર, ખંડણી અને સંગઠિત માફિયા પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી આ કાયદા હેઠળ યથાવત રહેશે, જ્યારે આતંકવાદી ગુનાઓ માટે BNS લાગુ પડશે.

નવા કાયદાઓનો અમલ
આ વિધેયક દ્વારા જૂના Indian Penal Code (IPC)ના સ્થાને નવા કાયદા લાગુ કરવાની પ્રક્રિયાને પણ મજબૂત બનાવવામાં આવી છે. તે ઉપરાંત, Bharatiya Nagarik Suraksha Sanhita (BNSS)ને પણ અમલમાં લાવી, પૂર્વવર્તી CrPCના સંદર્ભોને બદલવામાં આવ્યા છે.

શું બદલાશે?
આ સુધારાથી કાયદાકીય પ્રક્રિયામાં સ્પષ્ટતા આવશે અને ડુપ્લિકેશન ટાળવામાં મદદ મળશે. રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના કાયદાકીય સંકલનને વધુ મજબૂત બનાવવાનો આ પ્રયાસ માનવામાં આવે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.