ગોવા નાઇટ ક્લબ કેસ: લૂથરા બ્રધર્સની રોહિણી કોર્ટે જામીન અરજી ફગાવી

ગોવાના ચર્ચિત Bitch by Romeo નાઇટ ક્લબમાં લાગેલી વિનાશક આગ કેસમાં રેસ્ટોરન્ટ માલિકો ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરાને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રોહિણી કોર્ટે બંનેની આગોતરી જામીન અરજી ફગાવી દીધી છે. 6 ડિસેમ્બરે થયેલી આ ઘટનામાં 25 લોકોના મોત થયા હતા.

ગોવા પોલીસ: “લૂથરા બ્રધર્સે માસૂમોને ફસાવ્યા”
સુનાવણી દરમિયાન ગોવા પોલીસે કોર્ટને માહિતી આપી કે:
– લૂથરા બ્રધર્સે દાવો કર્યો હતો કે તેઓ ધંધા સાથે જોડાયેલા નથી અને ઘટનાના દિવસે દેશની બહાર જવાનું હતું.
– પરંતુ તપાસમાં ખુલ્યું કે સૌરભ લૂથરાએ FSSAI લાઇસન્સ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માટે પણ અરજી કરી હતી.
– GST રેકોર્ડ્સમાં ગૌરવ, સૌરભ અને અજય ગુપ્તાના નામ છે.
– ક્લબનું પંચાયત લાઈસન્સ સમાપ્ત થઈ ગયું હતું અને રિન્યૂ પણ નહોતું થયું.

આગ પછી તરત ફ્લાઇટ બુકિંગ, તપાસથી બચવાનો પ્રયાસ?
પોલીસના જણાવ્યા મુજબ:
– ઘટના બાદ લૂથરા બ્રધર્સે રાત્રે 1:15 વાગ્યે થાઇલેન્ડ જતી ફ્લાઇટ બુક કરી.
– પરિવારજનોએ પોલીસને તેમની લોકેશન વિશે કોઈ માહિતી આપી ન હતી.
– આથી સ્પષ્ટ થયું કે તેઓ તપાસ અને ધરપકડથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

તેના આધારે:
– NBW (Non-Bailable Warrant) જારી થયું
– LOC બહાર પડ્યું
– 9 ડિસેમ્બરે બ્લુ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી.
– ક્લબમાં ફક્ત એક જ રસ્તો, ફાયર શો મંજૂર વગર — જાનહાનિનું મુખ્ય કારણ

તપાસમાં જાણવા મળ્યું કે ક્લબમાં:
– બહાર નીકળવા માટે માત્ર એક જ સંકડો રસ્તો હતો.
– ફાયર શો લૂથરા બ્રધર્સની મંજૂરીથી યોજાયો હતો.
– ગોવા પોલીસે કોર્ટને જણાવ્યું કે આ બેદરકારીને કારણે લોકો કેદ બની ગયા અને આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું.

લગાયો સદોષ માનવવધનો આરોપ
લૂથરા બ્રધર્સ પર IPC હેઠળ સદોષ માનવવધ (Culpable Homicide) નો કેસ નોંધાયો છે.
કેસની આગામી કાર્યવાહી નજીકથી દેખરેજ હેઠળ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…