‘બોર્ડર 2’ એ માત્ર 10 દિવસમાં કરી 300 કરોડના ક્લબમાં એન્ટ્રી, બનાવ્યો આ રેકોર્ડ

ફિલ્મ બોર્ડર 2 એ માત્ર 10 દિવસમાં ₹300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ હજુ પણ બે આંકડામાં કમાણી કરી રહી છે અને કોઈ મોટી ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી તે થિયેટરોમાં રહેવાની શક્યતા છે. ખૂબ જ ટૂંકા સમયમાં, “બોર્ડર 2” એ તેની કિંમત વસૂલ કરી લીધી છે અને નફાના ક્ષેત્રમાં પ્રવેશ કરી લીધો છે. હવે, માત્ર 10 દિવસમાં બોક્સ ઓફિસ પર તેની ત્રીજી સદી એ વાતનો પુરાવો છે કે હજુ ઘણા રેકોર્ડ તોડવાના બાકી છે.

ટ્રેડ એક્સપર્ટ સુમિત કડેલે તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં ફિલ્મની કમાણીના આંકડા જાહેર કર્યા. પોસ્ટમાં સુમિત કડેલે લખ્યું, “બીજા સપ્તાહના અંતે ₹55 કરોડથી વધુના શાનદાર કલેક્શન સાથે, બોર્ડર 2 માત્ર 10 દિવસમાં ₹300 કરોડ ક્લબમાં પ્રવેશી ગઈ છે.” સુમિત કડેલે લખ્યું, “આ સની દેઓલની 300 કરોડ ક્લબમાં પ્રવેશ કરનારી બીજી ફિલ્મ બની છે. વરુણ ધવન આ ફિલ્મ દ્વારા પહેલીવાર આ ક્લબમાં જોડાયો છે.” હવે ફિલ્મની અત્યાર સુધીની કમાણીનું ગણિત સમજીએ.

  • પહેલો દિવસ- 32.10 કરોડ
  • બીજો દિવસ- 40.59 કરોડ
  • ત્રીજો દિવસ- 57.20 કરોડ
  • ચોથો દિવસ- 63.59કરોડ
  • પાંચમો દિવસ- 23.31 કરોડ
  • છઠ્ઠો દિવસ- 15.04 કરોડ
  • સાતમો દિવસ- 13.14 કરોડ
  • આઠમો દિવસ- 12.53 કરોડ
  • નવમો દિવસ- 20.17 કરોડ
  • દસમો દિવસ- 24.00 કરોડ
    કુલ કમાણી- 301.89 કરોડ

તો શું આ ફિલ્મ 400 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ ?
નોંધનીય છે કે અનુરાગ સિંહ દ્વારા દિગ્દર્શિત બોર્ડર 2 ને IMDb રેટિંગ 7.5 છે, અને આ સ્ટોરી  1971 ના યુદ્ધમાં ભારતીય યોદ્ધાઓની બહાદુરીની સ્ટોરી કહે છે. સની દેઓલ ઉપરાંત, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. રવિવાર સુધીમાં ફિલ્મનું વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કલેક્શન ₹350 કરોડને વટાવી ગયું. સોમવાર સુધીમાં, આ આંકડો વધુ વધ્યો, અને અમે નવા આંકડાઓની રાહ જોઈ રહ્યા છીએ. એવું માનવામાં આવે છે કે તે આરામથી ₹400 કરોડ ક્લબમાં પ્રવેશ કરશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સરકારનો કડક સંદેશ, ટેક્નોલોજી અને ડિઝાઈન પર કોઈ સમાધાન નહીં

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે પ્રોડક્ટ ડિઝાઈન અને ટેક્નોલોજીમાં યોગ્ય રોકાણ ન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ…