ભારતમાં એરલાઈન ઈન્ડસ્ટ્રી ફરી એક વખત ગંભીર આર્થિક દબાણ હેઠળ આવી ગઈ છે. જેટ ફ્યૂલ (ATF)ના વધતા ભાવ અને કિંમતોમાં અસ્થિરતાને કારણે દેશની એરલાઈન્સ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને Federation of Indian Airlines (FIA)એ કેન્દ્ર સરકારને ચેતવણી સાથે પત્ર લખ્યો છે.
ATFના ભાવમાં વધારો બન્યો મુખ્ય કારણ
એરલાઈન ઈન્ડસ્ટ્રીના જણાવ્યા મુજબ જેટ ફ્યૂલના ભાવમાં સતત ઉથલ-પાથલ થઈ રહી છે, જેનો સીધો અસર ફ્લાઈટ ઓપરેશન પર પડી રહ્યો છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રૂટ પર ATFના ભાવમાં પ્રતિ લિટર 73થી 75 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેના કારણે અનેક રૂટ આર્થિક રીતે નુકસાનકારક બની રહ્યા છે.
FIAએ સરકાર પાસે કરી તાત્કાલિક માંગ
FIAએ Ministry of Civil Aviation ને પત્ર લખીને તાત્કાલિક સહાય માગી છે. સંગઠને ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો કેટલીક એરલાઈન્સ કંપનીઓને કામકાજ બંધ કરવું પડશે અથવા ફ્લાઈટ્સ ઘટાડવી પડશે.
ટેક્સમાં રાહત અને નીતિમાં ફેરફારની માંગ
આ સંકટમાંથી બહાર આવવા માટે FIAએ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે:
– ATF પર લાગતી 11% એક્સાઈઝ ડ્યુટી તાત્કાલિક સ્થગિત કરવી
– જૂની સ્ટાન્ડર્ડ ક્રેક બેન્ડ પ્રાઈસિંગ સિસ્ટમ ફરી લાગુ કરવી
– મુખ્ય એવિએશન હબ પર VATમાં ઘટાડો કરવો
સંગઠન મુજબ હાલનું ટેક્સ માળખું એરલાઈન્સના ખર્ચમાં ભારે વધારો કરી રહ્યું છે, જે લાંબા ગાળે ટકી શકતું નથી.
મુસાફરો પર પણ પડશે અસર
જો ઈંધણના ભાવમાં અસ્થિરતા ચાલુ રહેશે તો ફ્લાઈટ્સ રદ થવાની શક્યતા વધી શકે છે. તેના કારણે હવાઈ ભાડામાં વધારો, શિડ્યુલમાં અનિશ્ચિતતા અને કનેક્ટિવિટીમાં ઘટાડો જોવા મળી શકે છે. હાલની સ્થિતિ એરલાઈન ઈન્ડસ્ટ્રી માટે અસ્તિત્વની લડાઈ સમાન બની ગઈ છે અને નિષ્ણાતોનું માનવું છે કે સરકારના તાત્કાલિક હસ્તક્ષેપ વગર આ સંકટ વધુ ગંભીર બની શકે છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





