નરેન્દ્ર મોદી દ્વારા દેશહિતમાં કરકસર અને ઈંધણ બચત અંગે કરવામાં આવેલી અપીલ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. મળતી માહિતી મુજબ આગામી કેબિનેટ બેઠકમાં વિવિધ સરકારી વિભાગોમાં ખર્ચ ઘટાડવા અને સંસાધનોનો મિતવ્યયી ઉપયોગ કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે.
વિભાગોને ખર્ચ ઘટાડવા સૂચનો મંગાવાયા
રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોને ખર્ચમાં ઘટાડો કરવા માટેના સૂચનો મોકલવા કહેવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. સરકાર ખાસ કરીને વાહનોના ઉપયોગ, ઈંધણ બચત, ઓનલાઈન મિટિંગ્સ અને વર્ક ફ્રોમ હોમ જેવી વ્યવસ્થાઓને ફરી અમલમાં મૂકવા અંગે વિચારણા કરી રહી છે.
વાહનોના ઉપયોગ પર આવી શકે નવા નિયમો
PM મોદીએ સરકારી અને ખાનગી સ્તરે ઈંધણનો વપરાશ ઘટાડવા ભાર મૂક્યો હતો. જેના પગલે રાજ્ય સરકાર સરકારી વાહનોના ઉપયોગ અને તેની મર્યાદા અંગે નવા નિયમો લાવી શકે છે. કરકસર અભિયાનના ભાગરૂપે કેન્દ્રીય જળશક્તિ મંત્રી C. R. Patil એ પણ પાયલોટિંગ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
‘વર્ક ફ્રોમ હોમ’ને ફરી પ્રાથમિકતા
ગુજરાત પ્રવાસ દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે કોરોના કાળ દરમિયાન દેશમાં વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન મિટિંગ્સ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી વ્યવસ્થાઓ સફળ રહી હતી. તેમણે જણાવ્યું હતું કે, “સમયની માંગ છે કે આપણે ફરીથી આવી વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપીએ. તે દેશહિતમાં રહેશે અને ઈંધણ બચતમાં મદદરૂપ બનશે.”
ઈંધણની અછત અંગે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા
PM મોદીની અપીલ બાદ દેશમાં ઈંધણની અછત અંગે લોકોમાં ઉઠેલા સવાલોને લઈને કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટતા કરી છે. સરકારના જણાવ્યા અનુસાર દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG અથવા ક્રૂડ ઓઈલની કોઈ અછત નથી. હાલમાં ભારત પાસે અંદાજે 60 દિવસનો ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસનો જથ્થો તેમજ 45 દિવસનો LPG સ્ટોક ઉપલબ્ધ છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276








