અમરેલી જિલ્લાના લાઠી નજીક કેરાળા ગામ પાસે આજે ખાનગી લક્ઝરી બસ અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
મળતી માહિતી મુજબ અમરેલી–લાઠી સ્ટેટ હાઈવે પર કેરાળા ગામની સીમ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અને અલ્ટો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
અકસ્માત બાદ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
લાઠી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં મૃતકોની ઓળખ મેળવવાની કામગીરી ચાલી રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





