યુક્રેન પાસેથી શું-શું મેળવવા માંગે છે અમેરિકા, જાણો યુક્રેનનો ખનીજ ભંડાર અને ટ્રમ્પનો પ્લાન

વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચા પછી, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો બદલાયેલો પક્ષ જોવા મળ્યો. જ્યારે ઝેલેન્સકીએ અગાઉ કહ્યું હતું કે યુક્રેનની ભાગીદારી વિના કોઈ કરાર થશે નહીં, પરંતુ અમેરિકાએ યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાની જાહેરાત કરતા જ ઝેલેન્સકીનું વલણ નરમ પડ્યું અને તેઓ ટ્રમ્પના નેતૃત્વમાં કરાર પર પહોંચવા સંમત થયા. આ માટે ઝેલેન્સકીએ યુક્રેનના ખનિજ ભંડાર અમેરિકાને સોંપવાની પણ જાહેરાત કરી છે. જોકે, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઇચ્છે છે કે અમેરિકા બદલામાં સુરક્ષા ગેરંટી આપે, જેના માટે ટ્રમ્પ હજુ સુધી સંમત થયા નથી.

આ પણ વાંચો :- વડાપ્રધાનપદ સંભાળતાજ માર્ક કાનેનો હુંકાર, કહ્યું ‘કેનેડા ક્યારેય અમેરિકાનો હિસ્સો નહીં બને’

યુક્રેનમાં લિથિયમ, ટાઇટેનિયમ, ગેલિયમ, મેંગેનીઝ, યુરેનિયમ અને કોબાલ્ટ જેવા ઘણા ખનિજોનો ભંડાર છે. ટ્રમ્પ આ ખનિજ ભંડારો અમેરિકાએ યુક્રેનને આપેલી લશ્કરી સહાય અને યુદ્ધ ભંડોળના બદલામાં મેળવવા માંગે છે, જેથી તે આ બધી બાબતોમાં હંમેશા રશિયા અને ચીનથી આગળ રહી શકે. ચાલો જાણીએ કે યુક્રેન પાસે એવું શું છે જે મેળવવા માટે અમેરિકા ઉત્સુક છે.

લિથિયમ :- યુક્રેન પાસે લગભગ પાંચ લાખ ટન લિથિયમનો ભંડાર છે. આ ખનિજ ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવા માટે મહત્વપૂર્ણ છે. આ યુદ્ધ પછી, યુક્રેનના બે મોટા લિથિયમ ભંડાર રશિયાના નિયંત્રણમાં આવી ગયા છે.

મેંગેનીઝ :- યુક્રેન પાસે લગભગ 140 મિલિયન ટન મેંગેનીઝનો ભંડાર છે. દનેપ્રોપેટ્રોવસ્ક અને ઝાપોરિઝિયા પ્રદેશોમાં રહેલા અનામત હવે રશિયન પ્રદેશમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો :- H-1B વિઝા ધારકોના બાળકોને નાગરિકતાનો નિયમ નાબુદ થતા અમેરિકામાં રહેતા હજ્જારો ભારતીયોને અસર

ટાઇટેનિયમ :- અમેરિકા માને છે કે યુક્રેન પાસે ૮.૪ મિલિયન ટન ટાઇટેનિયમનો ભંડાર છે. લશ્કરી, એરોસ્પેસ, તબીબી અને ઓટોમોટિવ ઉદ્યોગો માટે ટાઇટેનિયમ મહત્વપૂર્ણ છે.

યુરેનિયમ :- યુક્રેન પાસે યુરેનિયમનો ભંડાર છે, જે પરમાણુ ઉર્જા ઉત્પાદન માટે મહત્વપૂર્ણ ખનિજ છે. ૨૦૨૨ના સર્વે મુજબ, યુક્રેન પાસે લગભગ ૧૮૫,૪૦૦ ટન રેનિયમનો ભંડાર છે.

નિકલ :- ઇલેક્ટ્રિક વાહન બેટરી બનાવવા માટે નિકલ એક મહત્વપૂર્ણ સામગ્રી છે. એવો અંદાજ છે કે યુક્રેન પાસે 2,15,000 ટન નિકલનો ભંડાર છે.

આ પણ વાંચો :- મસ્કને ઝટકો, લોન્ચીંગની થોડી જ ક્ષણોમાં સ્પેસએક્સ સ્ટારશિપ રોકેટે ગુમાવ્યું નિયંત્રણ, થયા ટુકડે-ટુકડા

ગેલિયમ :- યુક્રેન વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જે વાર્ષિક ચાર ટન ગેલિયમનું ઉત્પાદન કરે છે. તે LED ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ ઘટક છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *