આજથી સુરતમાં ફરજિયાત હેલ્મેટનો નિયમ લાગૂ, ભૂલથી પણ હેલ્મેટ વિના નીકળ્યા તો દંડાશો

B INDIA સુરત : સુરતમાં આજથી ફરજિયાત હેલ્મેટનો નિયમ લાગૂ થઈ ગયો છે. હવે આજથી સુરતમાં જો ટુ-વ્હીલર લઈને ઘરની બહાર નીકળ્યા અને હેલ્મેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.શહેરમાં 550 સ્થળોએ ટ્રાફિક પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક પોલીસની 250 ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે, ત્યારે હેલ્મેટ નહીં પહેરનારા સ્થળ પર જ દંડ અને ઈ-મેમો આપવામાં આવશે. આ માટે 3 હજાર કોન્સ્ટેલના મોબાઇલ ફોનમાં VOC એપ ઇન્સ્ટોલ કરવામાં આવી. આ એપથી પોલીસ ફોટો પાડશે જે કમાન્ડ કંટ્રોલ રૂમમાં જશે. કમાન્ડ કંટ્રોલ રૂમથી જે-તે વ્યક્તિના નામે મેમો બની જશે.

અગાઉ પોલીસે 45 દિવસ સુધી હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. એક દિવસ પહેલા સુરત પોલીસે હેલ્મેટ પહેરી બાઈક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ટ્રાફિક વિભાગના પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોમાં હેલ્મેટ વિશે જાગરૂકતા આવે તે માટે રેલી યોજવામાં આવી હતી. રેલીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચઅધિકારીઓ પણ જોડાયા હતા.

વધતા અકસ્માતો બાદ અને હાઈકોર્ટના કડક વલણ બાદ DGPએ હેલમેટ પહેવાનો આદેશ કર્યો છે. DGPના પરિપત્ર બાદ સુરત શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે. આ અઠવાડિયે જ સુરતમાં RTOના નિયમનું ઉલ્લંઘન કરનાર સરકારી અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવતા 228 સરકારી અધિકારીને પકડીને દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકા, કલેક્ટર કચેરી, સરકારી હોસ્પિટલના દરવાજે પોલીસ સતત તપાસ કરી રહી છે. હેલ્મેટના નિયમનો ભંગ કરનારા 10 પોલીસકર્મી પણ પકડાયા હતા.

Related Posts

વિશ્વ સિંહ દિવસ: માનવ હુમલાખોર સિંહો માટે આંબરડીમાં બનશે100 હેક્ટરનું ખાસ ક્ષેત્ર Smart Solution

9 ઓગસ્ટ 2026: ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને માનવ-વન્યજીવ સંઘર્ષને ઘટાડવાની દિશામાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રીતે રાખવા માટે અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવવામાં આવશે. આ ક્ષેત્રને ફેન્સિંગ કરીને સિંહોને તેમની કુદરતી હેબિટેટને અનુરૂપ વાતાવરણમાં રાખવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

Dasha Maa Vrat Rituals & Puja Vidhi ગુજરાત 2026 : આ વર્ષે વ્રત કઈ તિથિથી શરૂ કરવું? Ultimate Devotion

ગુજરાતમાં શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના સાથે અનેક દેવી-દેવતાઓના વ્રત અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓમાં દશામાના વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. દશામાના વ્રત દરમિયાન ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક દશામાની પૂજા કરે છે અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સંકટોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. દશામાનું વ્રત ગુજરાતના અનેક પરિવારોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા ઘરોમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે અને વ્રત દરમિયાન દરરોજ નિયમિત પૂજા, આરતી અને પ્રસાદ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દશામાનું વ્રત ક્યારે શરૂ થાય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *