પંચમહાલમાં ગેરકાયદે રેતી ખનન કરનારા સામે લાલ આંખ, ખનીજ વિભાગે 60 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી ખનન કરનારા સામે લાલ આંખ કરી છે. અને 6 ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ખાણ ખનીજને બાતમી મળી હતી કે, ગોમા નદીમાંથી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. વિભાગે ઘુસર અને કંકુથાંભલા ગામ પાસેથી ગેરકાયદે ખનન કરતાં લોકોને માલસામાન સાથે ઝડપી પાડ્યા હતા.

 

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રેત ખનન થવાના કિસ્સા વધ્યા છે. નદીના પટમાંથી રેતીની ચોરી કરી કોર્પોરેટ ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે. ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવતા ગેરકાયદે રેત ખનન કરનારાઓને સંકજામાં લીધા છે.

 

કાલોલના ઘુસર ગામ પાસેથી પસાર થતી ગોમા નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન કરનારા પર ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું હતું. વિભાગે દરોડા પાડી રેતી ભરતા 4 ટ્રેક્ટર ઝડપ્યા. આ ઉપરાંત અન્ય એક સ્થાન પર પણ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

 

ગોધરાના કંકુથાંભલા અને ગોધરાના મેશરી નદીના પટમાંથી રેતી ભરીને જતા 2 ટ્રેક્ટર ઝડપી પડાયા. ખાણ ખનીજ વિભાગે જુદા-જુદા સ્થાન પર હાથ ધરેલ દરોડામાં કુલ રેતી ભરેલ 6 ટ્રેક્ટર અને કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, 22 બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્યમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા તપાસ, સારવાર અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 દર્દીઓના સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતમાં રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. આરોગ્ય વિભાગ દરેક કેસની તપાસ કરી રહ્યું છે અને લેબોરેટરી પરીક્ષણ બાદ જ અંતિમ પુષ્ટિ કરવામાં આવે છે. ગુજરાતમાં 22 બાળકોના મોતથી ચિંતા વધી ગુજરાતમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના મોત થયા છે. આ આંકડાએ…

ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો માટે ખાસ કરીને રાહતરૂપ માનવામાં આવી રહી છે, કારણ કે સતત ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની આશંકા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *