અમેરિકાએ પરત મોકલેલા ભારતીયોને લઈને નીતિન પટેલનું નિવેદન, જાણો શું બોલ્યા…..

અમેરિકા દ્વારા પરત મોકલવામાં આવેલા ભારતીયોને લઈ વિવાદ થઇ રહ્યો છે. એક યુએસ નૌસેનાના વિમાનમાં ભારતીય નાગરિકો અમૃતસર પહોચ્યા હતા. જે પંજાબ, ગુજરાત અને હરિયાણા રાજ્યોથી છે. આ લોકો યુએસમાં લાંબા સમયથી રહી રહ્યા હતા. અને અમેરિકી કાયદાનું પાલન કરતાં હતાં.

 

આ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ ભારતીયોને બાંગ્લાદેશી ગેરકાયદેસર ઘુસણખોરો સાથે સરખાવવું યોગ્ય નથી. આ લોકો તેમની આવકને પોતાના વતનમાં મોકલતા અને ત્યાંના કાયદાઓને માનતા અને અમેરિકામાં શાંતિથી રહેતા હતાં.

 

નીતિન પટેલે વધુંમાં કહ્યું હતું કે, આ લોકો અમેરિકામાં ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા નહોતા. બાંગ્લાદેશથી આવતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓની સરખામણી સાથે આ ભારતીયોને આ રીતે નિંદા કરવી યોગ્ય નથી. તેમણે આવનારા લોકોને સહાનુભૂતિ સાથે સ્વીકૃત કરવાની જરૂરિયાત જણાવી હતી.

 

ઉલ્લેખનિય છે કે, અમેરિકાથી પરત આવનારમાં મહેસાણાના 12 લોકો છે. ગાંધીનગરના પણ 12 લોકોનો સમાવેશ થાય છે. તો સુરતના 4 અને અમદાવાદના 2 લોકો શામેલ છે. તો ખેડાના 1, વડોદરાના 1 અને પાટણના 1નો સમાવેશ થાય છે.

Related Posts

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, લાગ્યો હતો મોટો આરોપ

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમની સામેના સાપના ઝેરના કેસને ફગાવી દીધો છે. યુટ્યુબર પર નવેમ્બર…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *