યૂપી, પંજાબ અને ગુજરાતના 104 લોકો સાથે અમેરિકી લશ્કરી વિમાન અમૃતસરમાં ઉતર્યુ 

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૧૦૪ ભારતીયોને લઈને એક અમેરિકન લશ્કરી વિમાન બુધવારે શ્રીગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું. યુએસ લશ્કરી વિમાન C-17 પંજાબ અને પડોશી રાજ્યોના 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને આવી પહોંચ્યુ હતું.

પરત મોકલવામાં આવેલા ૧૦૪ ભારતીયોમાં મોટાભાગના લોકો પંજાબ, હરિયાણા અને ગુજરાતના છે. આ યાદીમાં પંજાબના કુલ 30 લોકોનો સમાવેશ થાય છે. પંજાબના વિવિધ જિલ્લાઓની પોલીસ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત અમેરિકાથી દેશનિકાલ કરાયેલા લોકોમાં ઉત્તર પ્રદેશના લોકોનો પણ સમાવેશ થાય છે.

-> ડીજીપીએ નિવેદન બહાર પાડ્યું :- પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્થળાંતર કરનારાઓનું સ્વાગત કરશે અને એરપોર્ટ પર કાઉન્ટર સ્થાપિત કરશે. પંજાબના NRI બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે મંગળવારે યુએસ સરકારના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે આ લોકોને, જેમણે તે દેશના અર્થતંત્રમાં યોગદાન આપ્યું છે, તેમને દેશનિકાલ કરવાને બદલે કાયમી રહેઠાણ મળવું જોઈતું હતું.

પંજાબના મંત્રીએ કહ્યું કે ઘણા ભારતીયો ‘વર્ક પરમિટ’ પર અમેરિકામાં પ્રવેશ કરે છે અને પછી જ્યારે તે સમાપ્ત થાય છે, ત્યારે તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ બની જાય છે. તેમણે કહ્યું કે તેઓ આવતા અઠવાડિયે વિદેશ મંત્રી એસ જયશંકરને મળવાની યોજના ધરાવે છે જેથી તેઓ અમેરિકામાં રહેતા પંજાબીઓની ચિંતાઓ અને હિતોની ચર્ચા કરશે..

-> મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે આ વાત કહી હતી :-મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે પંજાબીઓને પણ ગેરકાયદેસર રીતે વિદેશ પ્રવાસ ન કરવાની અપીલ કરી અને વિશ્વભરમાં તકોનો લાભ લેવા માટે કૌશલ્ય અને શિક્ષણ પ્રાપ્ત કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે લોકોને વિદેશ પ્રવાસ કરતા પહેલા કાનૂની પ્રક્રિયાઓ વિશે શીખવા, શિક્ષણ અને ભાષા કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

#Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા

સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *