ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થયો, ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં પડશે માવઠું?

રાજયમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. પૂર્વથી ઉત્તર પૂર્વના પવન હાલ ફૂંકાતા નથી જેના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.અને મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

-> કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,અમદાવાદમાં 16.6 ડિગ્રી, ગાંધીનગરમાં 14.6 ડિગ્રી,ડીસા 14.4 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 16.1 ડિગ્રી,કેશોદમાં 13.1 ડિગ્રી, અમરેલીમાં 13.8 ડિગ્રી,મહુવામાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી,પોરબંદરમાં 15.4 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી,સુરત અને ભાવનગરમાં 16.8 ડિગ્રી,કંડલામાં 16.2 ડિગ્રી, ભુજમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

-> કમોસમી વરસાદની આગાહી :- રાજયમાં ફરી 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થતા માવઠાની આગાહી કરવામા આવી છે. 2 ફેબ્રુઆરીએ અમરેલી,ભાવનગર, નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે,જયારે 3 ફેબ્રુઆરીએ અરવલ્લી,અમરેલી, ભાવનગર,મહીસાગર, દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

Related Posts

દિલ્હીના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહનો સમય બદલાયો, આમ આદમી પાર્ટીએ કર્યો કટાક્ષ

દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનો સમય બદલાઈ ગયો છે. હવે શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે યોજાશે. પહેલા તેનો સમય સાંજે ૪.૩૦ વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો. શપથ…

રણવીર અલ્હાબાદિયાની સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી, જો કે ધરપકડ પર લગાવાઇ રોક

સુપ્રીમ કોર્ટે યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાને રાહત આપી અને તેમની ધરપકડ અને આ કેસમાં નવી એફઆઈઆર નોંધવા પર રોક લગાવી દીધી છે.. જોકે, સુનાવણી દરમિયાન, કોર્ટ રણવીર અલ્હાબાદિયા પર ખૂબ જ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button