ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપે જાહેર કર્યા 4 ઉમેદવાર, રાજ્યસભામાં પણ અપનાવી ‘નો રિપીટ થિયરી’

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની ચાર બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં પણ ‘નો રિપીટ થિયરી’ અપનાવીને નવા ચહેરાઓને તક આપી છે. ભાજપે રાજ્યસભા માટે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયાના નામ જાહેર કર્યા છે. નોંધનીય છે કે રાજ્યસભાના સાંસદ પદેથી નિવૃત થઈ રહેલા ત્રણ વર્તમાન સભ્યોને ફરી તક આપવામાં આવી નથી.

ભાજપના ઉમેદવારો કોણ?
મુકેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ વિસ્તારના રહેવાસી છે અને આદિવાસી સમાજમાંથી આવે છે. તેઓ હાલમાં ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત છે તેમજ અગાઉ ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. જીતેન્દ્ર કણઝારિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના અગ્રણી કાર્યકર અને સતવારા સમાજના પ્રતિનિધિ છે. તેઓ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. તેમના પિતા અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાનું વર્ષ 2021માં કોરોનાકાળ દરમિયાન નિધન થયું હતું.

માનસિંહ પરમાર હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. રાજુ શુક્લા લાંબા સમયથી ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર છે અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકે કામગીરી કરી રહ્યા છે. જાહેર કરાયેલા ઉમેદવારોમાં બે નેતાઓ સૌરાષ્ટ્ર વિસ્તારના છે, જ્યારે બે નેતાઓ મધ્ય અને ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

કયા સાંસદો થઈ રહ્યા છે નિવૃત?
ગુજરાતમાંથી રાજ્યસભાના જે ચાર સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે તેમાં રામભાઈ મોકરીયા, અમીન નરહરિ હીરાભાઈ, શક્તિસિંહ ગોહિલ અને રમીલા બારા સામેલ છે. ભાજપે રામભાઈ મોકરીયા, અમીન નરહરિ અને રમીલા બારાને ફરી ઉમેદવારી ન આપીને ‘નો રિપીટ થિયરી’નો અમલ કર્યો છે.

રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ
– ચૂંટણી જાહેરનામું: 1 જૂન, 2026
– ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન, 2026
– નામપત્રોની ચકાસણી: 9 જૂન, 2026
– ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: 11 જૂન, 2026
– મતદાન અને પરિણામ: 18 જૂન, 2026

કોંગ્રેસ સામે પ્રતિનિધિત્વ ગુમાવવાનો ખતરો
ગુજરાત કોંગ્રેસ માટે આ ચૂંટણી ઐતિહાસિક પડકારરૂપ બની શકે છે. રાજ્યસભામાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે.

ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 37 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે, જ્યારે કોંગ્રેસ પાસે હાલમાં માત્ર 12 ધારાસભ્યો છે. આ સંજોગોમાં કોંગ્રેસ માટે રાજ્યસભાની બેઠક જીતવી તો દૂર, ઉમેદવારી પ્રક્રિયા પણ પડકારજનક બની શકે છે. જો કોંગ્રેસ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ જાળવી રાખવામાં નિષ્ફળ જશે તો જૂન બાદ ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.

રાજકીય વિશ્લેષકોના મતે ભાજપે સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવતાં નવા ચહેરાઓને તક આપીને સંગઠન આધારિત રાજકારણને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.

 

 

  • Related Posts

    સુરત ગ્રામ્ય LCBનો મોટો સપાટો: ૪ કરોડનો ૨૫૦૦ કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો 2026 Route Trap

    સુરત ગ્રામ્ય LCBએ 4 કરોડનો 2500 કિલો પોષડોડાનો જથ્થો ઝડપ્યો: 125 કોથળા જપ્ત, આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા અપનાવ્યો 1200 કિમીનો રૂટ  સુરત ગ્રામ્ય LCBએ અંદાજે ₹4 કરોડની કિંમતના 2500 કિલો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. 125 કોથળામાં ભરાયેલો માલ જપ્ત કરાયો. પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીઓએ 500 કિમીના બદલે 1200 કિમીનો લાંબો રૂટ અપનાવ્યો હતો. ગુજરાતમાં નશીલા પદાર્થો અને ગેરકાયદેસર માલસામાનના પરિવહન સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જ કડીમાં **સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)**ને મોટી સફળતા મળી છે. પોલીસે અંદાજે ₹4 કરોડની કિંમતના 2500 કિલો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો એક મણ વજનના કુલ 125 કોથળામાં ભરેલો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે…

    નેશનલ હેન્ડલૂમ ડે પર CM ભુપેન્દ્ર પટેલની ખાસ ખરીદી, સ્વદેશી અપનાવવા અપીલ 2026 Glorious Tradition

    નેશનલ હેન્ડલૂમ ડે 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખરીદ્યા હાથશાળ ઉત્પાદનો, ‘વોકલ ફોર લોકલ’ને આપ્યો વધુ વેગ  નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની ગરવી ગુર્જરીમાંથી હાથશાળ ઉત્પાદનોની ખરીદી કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ વેગ આપતા નાના કારીગરોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો. 7 ઓગસ્ટના નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત ગરવી ગુર્જરીની મુલાકાત લઈને હાથશાળ (હેન્ડલૂમ) ઉત્પાદનોની ખરીદી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ મંત્રને વધુ વેગ આપતા મુખ્યમંત્રીના આ પગલાને નાના અને ગ્રામ્ય કારીગરો માટે પ્રેરણારૂપ માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ હેન્ડલૂમ ડેના અવસરે દેશવાસીઓને સ્થાનિક હાથવણાટ ઉત્પાદનો ખરીદવાની અપીલ કરી હતી, જેથી ગ્રામ્ય કારીગરોની આવકમાં વધારો થાય અને ભારતની સમૃદ્ધ હાથવણાટ…