આ ઘટનામાં 21 લોકોના મોત થયા હતા, જેના કારણે સમગ્ર રાજધાનીમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અગાઉ આરોપી લવકેશ બજાજ અને તેમની પત્ની સામે લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી તેઓ દેશ છોડીને ભાગી ન શકે.
તપાસમાં સામે આવ્યું છે કે આગ લાગેલી હોટલ પાસે જરૂરી ફાયર NOC નહોતું. ઉપરાંત હોટલને માત્ર 6 રૂમ ચલાવવાની મંજૂરી હોવા છતાં અંદાજે 25 રૂમ ચલાવવામાં આવી રહ્યા હતા. બેઝમેન્ટમાં પણ ગેરકાયદેસર રીતે રૂમ બનાવવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ ઈમારતમાં માત્ર એક જ એન્ટ્રી અને એક્ઝિટ હોવાથી આગ લાગ્યા બાદ લોકો માટે બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બન્યું હતું. આ કારણે મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા અને જાનહાનિ વધી ગઈ.
આ મામલે પહેલેથી જ બિનઇરાદાપૂર્વક હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. હવે હોટલ માલિકની ધરપકડ બાદ કેસની તપાસ વધુ તેજ કરવામાં આવી છે.
પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે નિયમોના ઉલ્લંઘન પાછળ કોણ જવાબદાર હતું અને કેવી રીતે આ ગેરરીતિ લાંબા સમયથી ચાલી રહી હતી.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






