ગીરમાં CDV વાયરસનો ખતરો, 4 સિંહબાળના મોત બાદ 17 સિંહો આઇસોલેટ, વેક્સિનેશન શરૂ

ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોના નિવાસસ્થાન ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગીરમાં CDV (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ) અને બેબીસીઆર વાયરસના શંકાસ્પદ પ્રકોપ વચ્ચે ચાર સિંહબાળના મોત થતાં વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને સિંહોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

સિંહબાળના મોત બાદ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં વન પર્યાવરણ અગ્ર સચિવ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. આ મામલે વડાપ્રધાન કાર્યાલય (PMO) પણ સતત નજર રાખી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સંક્રમણ વધુ ફેલાતું અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોના કુલ 17 સિંહોને આઇસોલેટ કરીને સ્પેશિયલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ગીર ગઢડા અને બાબરીયા વિસ્તારના 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા તમામ સિંહોનું સઘન મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારોમાં પણ વન વિભાગ દ્વારા દૈનિક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીની બેઠક બાદ ગાંધીનગરથી PCCF, CCF અને સિનિયર એનિમલ ડોક્ટર્સ સહિતની હાઇપાવર ટીમ તાત્કાલિક ગીર પહોંચી હતી. ટીમે જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈને આઇસોલેશનમાં રાખવામાં આવેલા સિંહોના સ્વાસ્થ્યની સમીક્ષા કરી હતી. જોકે મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી અધિકારીઓએ મીડિયા સાથે વધુ વિગતો શેર કરવાનું ટાળ્યું હતું.

રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “આ મામલે વડાપ્રધાને પણ વ્યક્તિગત નોંધ લીધી છે અને PMO તરફથી સતત માર્ગદર્શન મળી રહ્યું છે. મૃત્યુ પામેલા સિંહોના સેમ્પલ લઈને તપાસ માટે ગુજરાત બાયોટેક્નોલોજીકલ રિસર્ચ સેન્ટર (GBRC) ખાતે મોકલવામાં આવ્યા છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ દિવસોમાં ફેલાતો બેબીસીઆર વાયરસ ‘ઇતરડી’ નામની જીવાતથી ફેલાય છે. આથી સાવચેતીના ભાગરૂપે ગીર વિસ્તારના 350થી વધુ સિંહોના ડી-ટીકિંગ અને વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.”

સિંહોને બચાવવા માટે સેન્ચુરી વિભાગ ઉપરાંત જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાત તબીબોની ટીમ પણ મેદાનમાં ઉતરી છે. હાલ સંક્રમિત સિંહોમાં દેખાતા લક્ષણોના આધારે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

ગીરમાં સિંહોના આરોગ્યને લઈને ઉભી થયેલી આ સ્થિતિએ વન વિભાગ સહિત રાજ્ય સરકારની ચિંતામાં વધારો કર્યો છે. આગામી દિવસોમાં તપાસ રિપોર્ટ બાદ વાયરસના ચોક્કસ કારણો અને સંક્રમણની સ્થિતિ વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.

 

 

  • Related Posts

    Gold Rate Today Ahmedabad: Major Update! સોનાના ભાવમાં મોટો ઉછાળો-ઘટાડો, Latest Rate 22K અને 24K Goldનો રેટ જાણો

    Gold Rate Today Ahmedabad: અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ફેરફાર, જાણો 22 કેરેટ અને 24 કેરેટનો આજનો રેટ અમદાવાદ, 4 સપ્ટેમ્બર 2026: સોનું ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે આજના ભાવ મહત્વના છે. અમદાવાદમાં આજે સોનાના ભાવમાં વિવિધ બજાર સ્ત્રોતો અનુસાર ફેરફાર જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય બજાર, ડોલર સામે રૂપિયાની સ્થિતિ, વ્યાજદર અને વૈશ્વિક આર્થિક-ભૌગોલિક પરિસ્થિતિ જેવા અનેક પરિબળોથી પ્રભાવિત થાય છે. ->Ahmedabad Gold Rate Today: 24 કેરેટ સોનાનો ભાવ : Times of Indiaના 4 સપ્ટેમ્બર 2026ના અમદાવાદના રેટ મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ ₹15,540 પ્રતિ ગ્રામ એટલે કે ₹1,55,400 પ્રતિ 10 ગ્રામ છે. ગઈકાલના ₹15,207 પ્રતિ ગ્રામની સરખામણીએ આજે ₹333 પ્રતિ ગ્રામનો વધારો દર્શાવવામાં આવ્યો છે.જોકે, અલગ-અલગ સ્રોતો દ્વારા દર્શાવવામાં આવતા સોનાના ભાવમાં થોડો…

    Janmashtami: જગતના નાથનો જન્મોત્સવ: કાનુડાની વાંસળી, મોરપંખ અને સુદર્શન ચક્ર પાછળ શું છે રહસ્ય? જાણો પૂજા વિધિ-મંત્રો

    ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી…’ આજે દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. આ દિવસને Janmashtami તરીકે ઉજવવામાં આવે છે. મંદિરોમાં વિશેષ શણગાર, ભજન-કીર્તન, પૂજા અને મધરાત્રિના જન્મોત્સવનું આયોજન કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને વિષ્ણુના આઠમા અવતાર તરીકે માનવામાં આવે છે. તેમની બાળલીલા, ગીતા ઉપદેશ અને ધર્મની સ્થાપનાની કથાઓ ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે. Janmashtamiના દિવસે ભક્તો ઉપવાસ રાખીને મધરાત્રે કાનુડાની પૂજા કરે છે. Janmashtamiની પૂજાનું મુહૂર્ત Janmashtamiની પૂજા માટે મધરાત્રિનો સમય સૌથી વિશેષ માનવામાં આવે છે, કારણ કે ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધરાત્રિએ થયો હતો. ઘણા ભક્તો દિવસ દરમિયાન ઉપવાસ રાખે છે અને રાત્રે 12 વાગ્યે…