અમરેલી સ્ટેટ હાઈવે પર અકસ્માતથી અરેરાટી, 3ના ઘટના સ્થળે મોત

અમરેલી જિલ્લાના લાઠી નજીક કેરાળા ગામ પાસે આજે ખાનગી લક્ઝરી બસ અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

મળતી માહિતી મુજબ અમરેલી–લાઠી સ્ટેટ હાઈવે પર કેરાળા ગામની સીમ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અને અલ્ટો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી.

અકસ્માત બાદ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

લાઠી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં મૃતકોની ઓળખ મેળવવાની કામગીરી ચાલી રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

 

 

  • Related Posts

    ઉત્તર પ્રદેશમાં ફટાકડા ફેક્ટ્રીમાં ભયાનક વિસ્ફોટ, બેના મોત

    ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગંગોહ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા નયા ગામમાં આવેલી એક ફટાકડા ફેક્ટ્રીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી…

    NEET પેપર લીક વિવાદ પર સરકારનો સ્પષ્ટ સંદેશ: ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં થાય

    NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ વચ્ચે સરકારના સૂત્રોએ જણાવ્યું છે…