ગંજમ જિલ્લો માં શુક્રવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. પુરુષોત્તમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાડકાપલ્લી ચોક પાસે એક પૂરપાટ ઝડપે દોડતી બસે ઓટો-રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા છ શ્રદ્ધાળુઓના મોત થયા છે.
મંદિર દર્શન માટે જઈ રહેલા પરિવાર પર આફત
મળતી માહિતી મુજબ, એક જ પરિવારના 10થી વધુ સભ્યો ઓટો-રિક્ષામાં બેસીને પ્રસિદ્ધ સિંહાસિની મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા. દરમિયાન પુરુષોત્તમપુર નજીક ઝડપી બસે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાના ફુરચા ઉડી ગયા હતા અને ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.
બચાવ કામગીરી તાત્કાલિક શરૂ
અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને તરત જ કોડાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં વધુ ત્રણના મોત
હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ ત્રણ લોકોને મૃત જાહેર કરવામાં આવતા મૃત્યુઆંક છ પર પહોંચ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય ચાર લોકોને વધુ સારવાર માટે MKCG Medical College ખાતે રિફર કરવામાં આવ્યા છે.
પોલીસે તપાસ શરૂ કરી
પુરુષોત્તમપુર પોલીસ દ્વારા અકસ્માતગ્રસ્ત બસને કબજે કરી લેવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માત કયા કારણોસર થયો તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





