સરકારના ખાતામાં ₹3.5 લાખ કરોડ જમા કરાવશે RBI! ઇતિહાસમાં પહેલીવાર બનશે કિસ્સો

દેશની આર્થિક સ્થિતિ માટે મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. Reserve Bank of India (RBI) નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને અત્યાર સુધીનું સૌથી મોટું સરપ્લસ ડિવિડન્ડ ટ્રાન્સફર કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ રકમ ₹2.7 લાખ કરોડથી લઈને ₹3.5 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. આ મામલે RBI બોર્ડની 22 મેના રોજ મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. બેઠકમાં સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી મળવાની શક્યતા છે. જો આ ચુકવણી ₹3.5 લાખ કરોડ સુધી પહોંચે છે, તો તે RBI દ્વારા સરકારને આપવામાં આવેલું દેશના ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ બનશે.

ગયા વર્ષનો રેકોર્ડ પણ તૂટશે
ગયા નાણાકીય વર્ષમાં RBIએ કેન્દ્ર સરકારને ₹2.69 લાખ કરોડનું રેકોર્ડબ્રેક ડિવિડન્ડ આપ્યું હતું. આ વર્ષે તેમાં વધુ મોટો વધારો થવાની આશા છે. છેલ્લા ત્રણ વર્ષમાં RBIના ડિવિડન્ડમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેના કારણે તે સરકાર માટે નોન-ટેક્સ આવકનો મહત્વનો સ્ત્રોત બની ગયું છે.

RBIને આટલો મોટો નફો કેવી રીતે થયો?
ઘણા લોકોના મનમાં સવાલ થાય કે રૂપિયો નબળો પડી રહ્યો છે છતાં RBIની કમાણી કેવી રીતે વધી રહી છે? હકીકતમાં, અમેરિકી ડોલર સામે રૂપિયામાં થયેલા ઘટાડાને કારણે RBI પાસે રહેલી વિદેશી ચલણ સંપત્તિનું મૂલ્ય વધ્યું છે. રૂપિયાને વધુ નબળો પડતો અટકાવવા RBIએ ચલણ બજારમાં મોટા પ્રમાણમાં ડોલર વેચ્યા હતા. આ પ્રક્રિયામાં RBIને મોટો નફો થયો હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત, વિદેશી રોકાણોમાંથી મળેલી આવક અને કરન્સી મેનેજમેન્ટ સંબંધિત આવકમાં પણ વધારો નોંધાયો છે. અહેવાલો મુજબ ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ પણ મજબૂત સ્તરે પહોંચ્યું છે, જેના કારણે RBIની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બની છે.

સરકારને શું મળશે ફાયદો?
જો સરકારને આટલો મોટો ડિવિડન્ડ મળે છે, તો તે દેશના વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને રાજકોષીય ખાધ ઘટાડવામાં મદદરૂપ બનશે. સરકારને વધારાનો ખર્ચ કર્યા વગર વિકાસ યોજનાઓ માટે નાણાં ઉપલબ્ધ થશે.

 

 

 

  • Related Posts

    હજ યાત્રા દરમિયાન તણાવ અટક્યો? સાઉદી–UAEની મધ્યસ્થતાથી અમેરિકા–ઈરાન યુદ્ધ ટળ્યું હોવાના અહેવાલ

    મધ્ય-પૂર્વમાંથી આવી રહેલા અહેવાલો અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે શક્ય મોટો સૈન્ય સંઘર્ષ અટક્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને લઈને ચર્ચા…

    ગૃહ વિભાગની મોટી કાર્યવાહી: નશાબંધી વિભાગના 5 અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ, ગેરરીતિની તપાસ તેજ

    રાજ્યના ગૃહ વિભાગે નશાબંધી અને આબકારી વિભાગમાં મહત્વપૂર્ણ પગલું લેતાં પાંચ અધિકારીઓને હાલની જવાબદારીઓમાંથી દૂર કરીને સાઈડ પોસ્ટિંગ આપ્યા છે. આ કાર્યવાહી કેમિકલના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ માટેની મંજૂરી પ્રક્રિયામાં…