PM મોદીની કરકસર અપીલ બાદ રાજ્ય સરકાર એક્શનમાં, કેબિનેટમાં લેવાઈ શકે મોટા નિર્ણયો

નરેન્દ્ર મોદી દ્વારા દેશહિતમાં કરકસર અને ઈંધણ બચત અંગે કરવામાં આવેલી અપીલ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. મળતી માહિતી મુજબ આગામી કેબિનેટ બેઠકમાં વિવિધ સરકારી વિભાગોમાં ખર્ચ ઘટાડવા અને સંસાધનોનો મિતવ્યયી ઉપયોગ કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે.

વિભાગોને ખર્ચ ઘટાડવા સૂચનો મંગાવાયા
રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોને ખર્ચમાં ઘટાડો કરવા માટેના સૂચનો મોકલવા કહેવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. સરકાર ખાસ કરીને વાહનોના ઉપયોગ, ઈંધણ બચત, ઓનલાઈન મિટિંગ્સ અને વર્ક ફ્રોમ હોમ જેવી વ્યવસ્થાઓને ફરી અમલમાં મૂકવા અંગે વિચારણા કરી રહી છે.

વાહનોના ઉપયોગ પર આવી શકે નવા નિયમો
PM મોદીએ સરકારી અને ખાનગી સ્તરે ઈંધણનો વપરાશ ઘટાડવા ભાર મૂક્યો હતો. જેના પગલે રાજ્ય સરકાર સરકારી વાહનોના ઉપયોગ અને તેની મર્યાદા અંગે નવા નિયમો લાવી શકે છે. કરકસર અભિયાનના ભાગરૂપે કેન્દ્રીય જળશક્તિ મંત્રી C. R. Patil એ પણ પાયલોટિંગ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

‘વર્ક ફ્રોમ હોમ’ને ફરી પ્રાથમિકતા
ગુજરાત પ્રવાસ દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે કોરોના કાળ દરમિયાન દેશમાં વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન મિટિંગ્સ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી વ્યવસ્થાઓ સફળ રહી હતી. તેમણે જણાવ્યું હતું કે, “સમયની માંગ છે કે આપણે ફરીથી આવી વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપીએ. તે દેશહિતમાં રહેશે અને ઈંધણ બચતમાં મદદરૂપ બનશે.”

ઈંધણની અછત અંગે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા
PM મોદીની અપીલ બાદ દેશમાં ઈંધણની અછત અંગે લોકોમાં ઉઠેલા સવાલોને લઈને કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટતા કરી છે. સરકારના જણાવ્યા અનુસાર દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG અથવા ક્રૂડ ઓઈલની કોઈ અછત નથી. હાલમાં ભારત પાસે અંદાજે 60 દિવસનો ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસનો જથ્થો તેમજ 45 દિવસનો LPG સ્ટોક ઉપલબ્ધ છે.

 

 

  • Related Posts

    અમદાવાદમાં જામશે મહાકુંભ: CWG 2030નો સત્તાવાર હેન્ડઓવર મળતા અમદાવાદ બન્યું યજમાન Triumphant

    કોમનવેલ્થ ગેમ્સ 2026નું શાનદાર સમાપન, અમદાવાદને મળ્યો 2030 ગેમ્સનો સત્તાવાર હેન્ડઓવર 2030 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન થયું. ભારતે 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ જીત્યા, જ્યારે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સત્તાવાર રીતે ફ્લેગ અને બેટન સોંપવામાં આવ્યા. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી **કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games 2026)**નું ભવ્ય સમાપન રંગારંગ સમારોહ સાથે થયું. સમાપન સમારોહ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ અને હજારો દર્શકોએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. ભારત માટે આ ગેમ્સ અનેક યાદગાર સિદ્ધિઓ લઈને આવી, જ્યારે ગુજરાતના અમદાવાદ શહેર માટે પણ આ દિવસ ઐતિહાસિક બની રહ્યો. સમાપન સમારોહમાં વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી એડિશન માટે અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન હેન્ડઓવર કરવામાં આવ્યા. આ સાથે અમદાવાદ હવે આગામી યજમાન શહેર તરીકે…

    આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

    આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…