કેરેબિયન ક્રૂઝ પર નોરોવાયરસનો ફેલાવો, 100થી વધુ લોકો બીમાર

વિશ્વ હજુ હંતાવાયરસના ખતરાને લઈને સતર્ક છે ત્યાં હવે નોરોવાયરસના વધતા કેસોએ આરોગ્ય એજન્સીઓની ચિંતા વધારી છે. અમેરિકાના ફ્લોરિડાથી રવાના થયેલા લક્ઝરી ક્રૂઝ શિપ ‘કેરેબિયન પ્રિન્સેસ’ પર નોરોવાયરસ ફેલાતા 115 લોકો બીમાર પડ્યા છે. અમેરિકાની આરોગ્ય એજન્સી CDC (સેન્ટર્સ ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) મુજબ, બીમાર થયેલા લોકોમાં 102 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે.

ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવાના લક્ષણો
CDCના જણાવ્યા અનુસાર સંક્રમિત લોકોને ગંભીર ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો અને નબળાઈ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ક્રૂઝ શિપ 28 એપ્રિલે ફ્લોરિડાથી 13 દિવસની યાત્રા માટે નીકળ્યું હતું. જહાજ પર કુલ 3,116 મુસાફરો અને 1,131 ક્રૂ મેમ્બર્સ સવાર છે. જ્યારે બીમાર લોકોની સંખ્યા નિર્ધારિત મર્યાદાથી વધી ગઈ ત્યારે ક્રૂઝ પ્રશાસને સત્તાવાર રીતે આરોગ્ય અધિકારીઓને જાણ કરી હતી.

જહાજ પર સેનિટાઈઝેશન વધારાયું
વાયરસ વધુ ન ફેલાય તે માટે જહાજ પર સફાઈ અને સેનિટાઈઝેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે 11 મેના રોજ પોર્ટ કેનાવેરલ પહોંચ્યા બાદ સમગ્ર જહાજને સંપૂર્ણ રીતે ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘણા મુસાફરો સારવાર બાદ સ્વસ્થ થઈ રહ્યા છે અને હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

શું છે નોરોવાયરસ?
નોરોવાયરસ એક અત્યંત ચેપી વાયરસ છે જે પેટ અને આંતરડામાં સોજો પેદા કરે છે. તે ખાસ કરીને દૂષિત ખોરાક, પાણી અથવા સંક્રમિત વ્યક્તિના સંપર્કથી ઝડપથી ફેલાય છે. વિશેષજ્ઞો મુજબ, ક્રૂઝ શિપ, હોટેલ, હોસ્ટેલ અથવા અન્ય બંધ અને ભીડભાડવાળી જગ્યાઓમાં આ વાયરસ ઝડપથી પ્રસરવાની શક્યતા વધારે રહે છે.

મુસાફરોને સાવચેત રહેવાની સલાહ
આરોગ્ય અધિકારીઓએ મુસાફરોને વારંવાર હાથ ધોવા, સ્વચ્છતા જાળવવા અને કોઈપણ લક્ષણ દેખાય તો તરત તબીબી મદદ લેવા અપીલ કરી છે.

 

 

  • Related Posts

    CM Bhupendra પટેલે ગાંધીનગરમાં લહેરાવ્યો તિરંગો, રાજ્યમાં ૭૦ લાખથી વધુ ઘરો પર ફરકશે રાષ્ટ્રધ્વજ National Pride 2026

    હર ઘર તિરંગા અભિયાન:CM Bhupendra પટેલે ગાંધીનગરમાં લહેરાવ્યો તિરંગો, ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર ફરકશે રાષ્ટ્રધ્વજ  હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી  CM Bhupendra પટેલે ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો. ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો લક્ષ્યાંક. દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે સમગ્ર દેશમાં **‘હર ઘર તિરંગા અભિયાન’**નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ અભિયાન 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે. ગુજરાતમાં પણ આ અભિયાનને વ્યાપક જનભાગીદારી સાથે ઉજવવામાં આવી રહ્યું છે.આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી CM Bhupendra પટેલે 13 ઓગસ્ટ, ગુરુવારે સવારે ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાનની અગાસી પર તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગીતા નોંધાવી હતી. મુખ્યમંત્રીના આ પ્રયાસનો હેતુ રાજ્યના…

    CBSE ધોરણ-12 સપ્લીમેન્ટરી પરીક્ષા 2026નું પરિણામ જાહેર, 53.08% વિદ્યાર્થીઓ સફળ

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ-12ની સપ્લીમેન્ટરી/કમ્પાર્ટમેન્ટ પરીક્ષા 2026નું પરિણામ આજે, 12 ઓગસ્ટ 2026, જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં જ પરીક્ષામાં બેઠેલા હજારો વિદ્યાર્થીઓની રાહનો અંત આવ્યો છે. વિદ્યાર્થીઓ હવે પોતાનું પરિણામ અને માર્કશીટ ઓનલાઈન ચકાસી શકે છે. CBSEએ પરિણામ માટે પોતાની સત્તાવાર વેબસાઇટ્સ ઉપરાંત DigiLocker જેવી ડિજિટલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. CBSE માં 2.75 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા CBSEના આંકડા અનુસાર, ધોરણ-12ની સપ્લીમેન્ટરી પરીક્ષા માટે કુલ 2,91,576 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 2,75,287 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષામાં બે મુખ્ય કેટેગરીના વિદ્યાર્થીઓ સામેલ હતા. તેમાં 1,64,231 વિદ્યાર્થીઓ કમ્પાર્ટમેન્ટ કેટેગરી હેઠળ પરીક્ષા આપી રહ્યા હતા, જ્યારે 1,11,056 વિદ્યાર્થીઓએ પોતાના માર્ક્સમાં સુધારો કરવા માટે ઈમ્પ્રૂવમેન્ટ પરીક્ષા આપી હતી. CBSE માં…